________________
૩૧૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શકે, પણ તે જ શિષ્ય ગુરૂકુળવાસમાં રહીને જિનેશ્વરના વચનો સાંભળીને શીખીને નિપુણ થાય છે, તે જેમ અટવીનો નેતા સૂર્ય ઉગતાં આંખથી રસ્તો શોધી લે તેમ આ શિષ્ય અજ્ઞાન આવરણ દૂર થતાં આંખથી જોવા માફક જીવ અજીવ વિગેરે નવે પદાર્થો (ત ) ને દેખે છે તેનો સાર એ છે કે ઈદ્રિયોની જોડે પદાર્થના સંબંધથી સાક્ષાપણે ઘડા વિગેરે આંખથી ખુલ્લા પદાર્થો દેખાય છે, એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુના આગમથી ઝીણા ક્ષા રહેલા તથા દર રહેલા સ્વર્ગ મોક્ષ દેવતા વિગેરે તેને ખુલ્લે ખુલ્લા શંકારહિત સમજાય છે, વળી કદાચિત્ આંખથી દેખેલા આંખની કસરથી પદાર્થ બીજી રીતે પણ (કે) દેખાય છે, જેમકે મારવાડની રેતીના રણમાં સૂર્યના મધ્યાન્હના તડકામાં પાણીની બ્રાંતિને દેખાવ થાય છે, કેસુડાંને સમૂહ બળતા અંગારા માફક દેખાય છે, પણ સર્વજ્ઞ પ્રભુના કહેલા સિદ્ધાંતમાં જરાપણ દોષ નથી, જે દોષ આવે તે સર્વજ્ઞપણામાં હાનિ થાય, જિનેશ્વરે કહેલા સિદ્ધાંતને અસર્વજ્ઞને કહેલો સિદ્ધાંત નિષેધ ન કરી શકે. उड़ अहेयं तिरियं दिसासु
तसा य जे थावरा जे य पाणा संया जए तेसु परिव्वएजा
मणप्पओसं अविकंपमाणे ॥१४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org