________________
'
'
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯ રીતે શ્રત સિદ્ધાંત ભણીને વિચારી સમજીને કહે છે તેમાં ભેદ પડતો નથી, જે કે જ્ઞાનની વિચારણામાં છે ભેદ પડે છે, તે પણ તે પુરૂષોમાં ક્ષર ઉપશમ (વિચારણ શક્તિ) ઓછી હોવાને લીધે છે, પ્રમાણ આભાસ (અપ્રમાણ)ના વિષમવાદથી સમ્યફ પ્રમાણમાં વિષમવાદની શંકા લાવવી અગ્ય છે. જેમકે રેતીના રણના દેશમાં ઉનાળામાં ખરા તડકામાં પાણીનો દેખાવ દેખાય છતાં પાણી નથી, એવું જોઈને કેઈ ભેળો માણસ ખરા પાણીના સ્થાનમાં વિચાર કર્યા વિના પાણી નથી એવી શંકા લાવે તે ડાહ્યા માણસો પ્રત્યક્ષ પાણી દેખીને પણ તે ભેળા માણસની વાત માનશે કે? વળી જૈનાચાર્ય કહે છે, હે બધેમથકમાં અગ્નિ છે, એવુ, સિદ્ધ કરવા કેઈ મશકમાં ધુમાડે ભરીને મેટું બાંધી કોઈ જગ્યાએ મશક ખુલ્લી કરતાં ધુમાડે નીકળે, છતાં મશકમાં અગ્નિ સિદ્ધ ન થાય, - પણ તેથી સત્ય ધૂમાડાને નિષેધ ન થાય. કારણકે સારી રીતે કારણે વિચારીને કાર્ય કર્યું હોય તો વાંધો આવતો નથી, જ્યાં વધે આવે ત્યાં પ્રમાણ કરનારને પ્રમાદ છે, પણ તેમાં પ્રમાણને દેષ નથી, એજ પ્રમાણે સારી રીતે વિચારીને તિષ કહે, તે તેમાં ફળને ભેદ નથી પડતે, વળી છીંકના અપશુકનમાં પણ કાર્ય સિદ્ધિ દેખાય, તે પણ જતિષને દોષ નથી, કારણકે ઉતાવળથી
*
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org