SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગામાણ ગામે વિહરતા એ આવિયા નયર ખંભાત મ0 ચેમાસ તિહાં કિણ રહ્યા એ, યાત્રા કરી ભલી ભાંતિ મ૦ ૪. ચર્ચા ધર્મ તણી કરે છે, અર જિનવર દેવ મા સમઝર શ્રાવક શ્રાવિકાઓ, ધરમ સુણે નિત્ય મેવ મ૦ ૫ તપ પચખાણ ઘણા થયા એ ઉપને હરખ અપાર માટે તીહાંથી વિચરતાં આવ્યાં છે, અહમદાબાદ મઝાર ૬ (ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ પૃ. ૩ર૬). આ આચાર્ય પુન: ૧૭૯૪ માં ખંભાત આવ્યા હતા. પ્રસ્તુતઃ “ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ” ના લેખક જૈનેતર છે તોપણ જેન દૃષ્ટિએ તેમણે અભ્યાસ પૂર્વક આ ઈતિહાસ લખ્યો છે. આમાં ખંભાત માં કયા કયા ગચ્છના આચાર્યો, મુનિઓ પધાર્યા, તથા કયા કયા જેન મંત્રીઓ થઈ ગયા ખંભાત ના શ્રાવકે ની જૈન ધર્મ પ્રત્યે કેટલી શ્રદ્ધા હતી, તથા શી શી રચનાઓ ખંભાત માં થઈ કઈ કઈ પુસ્તકો તાડપત્ર પર તથા કાગળ પર લખાઈ વિગેરે અનેક બાબતોનું વર્ણન એતિહાસિક દૃષ્ટિએ આપવામાં આવેલ છે જે કે કઈ કઈ જગો પર અશુદ્ધિ પણ દષ્ટિગત થાય છે. તે પણ તેમને પ્રયાસ સ્તુત્ય છે. ઇતિહાસ ના પુસ્તકે કેવી રીતે લખાવા જોઈએ એ અત્રે ખાસ નોંધવું જોઈએ કેઈ પણ નગર ને રાજાને કે વાડમય નો ઇતિહાસ લખતી વેળા એ નગર ના પુરાતન અવશે સિક્કાઓ પ્રતિમા લેખો વિગેરે અનેક સામઝિઓ એકઠી કરવી જોઈએ, અને ત્યાર પછી જ જે ઈતિહાસ લખાય તે જ પ્રમાણિક ગણી શકાય. પરંતુ કેઈ પણ ઇતિહાસ એ ન લખવો જોઈએ કે જેના પર તેજ (ઈતિહાસના) કદના સમાલોચનાના પુસ્તક દિવને લખવાની જરૂર પડે. જેમાં પ્રમાણેનું નામ નિશાન ન હોય અને વિદ્વાન જેને અપ્રમાણિત ઠરાવે ઈત્યાદિ “ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ” બહાર પડી રહ્યો છે સુરતનો ઈતિહાસ પણ બહાર પડી ચૂકેલ છે તેવી જ રીતે અણહિલપુર પાટણને ઈતિહાસ સપ્રમાણ બહાર પડવો જોઈએ, પ્રાચીન કાળ માં ઉક્ત નગર જેનું પાટનગર ગણાતું હતું અને આજે પણ ત્યાં તાડપત્ર પર તથા કાગળ પર લખાયેલું સાહિત્ય વિપુલ પ્રમાણ માં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy