SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનો વેપાર અને ચલણ. ૧૭૩ સુરત મેટું બંદર થવાથી ખંભાતના બંદર આગળનો ભાગ પુરાઈ જવાથી અને માલ ઉપર લેવાની જકાત ઘણી અત્રે ત્રાસદાયક હોવાથી અમદાવાદને વેપાર એ સદીના પાછલા ભાગમાં ઘણો વધી ગયો.” સત્તરમાં સૈકામાં ખંભાત પર દિલ્હીના બાદશાહ અકબર, જહાંગીર, શાહજહાં વગેરે મેગલ શહેનશાહોને અમલ હતો આ સમયે ખંભાતમાં ચાલતા નાણા વિષે તે સમયના ખંભાતના જૈન કવિ ઝાષભદાસના કાવ્યોમાં ઘણે સ્થળે નિર્દોષ કરેલો જોવામાં આવે છે. કવિ ષભદાસ વિ. સં. ૧૯૭૦ માં રચેલા કુમારપાલ રાસમાં જણાવે છે કે “કહુ તે દિઉં સોનઈઆ સાર, કહે તે આપું હુંન ભંડાર, કહો તે અભિરામીજ અસંખ્ય, કહો તે આપું ત્યાહારી લક્ષ, આ સેરી તરકંટી જેહ, ઘોડા મુહી કહઈ જેહ, કહે તે આપું રૂપારાલ, કઈ રૂપીઆ લિઓ ડંડાલ (?) (આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૮ મું). ઉપર જણાવેલા સિક્કા પૈકી દરેકનું ટુંક વર્ણન નીચે પ્રમાણે છે. હુન અને ઇબ્રાહિમી (અભિમી) એ નામના બે સેનાના ચલણી સિક્કા હતા. હૂન એ શબ્દ સેનાને માટે પ્રાચીન કનટકી શબ્દ ઉપરથી થએલે છે જે સિક્કાને હિંદુઓએ “વરાહ” અને ફિરંગીઓએ “પેગોડા” નામ આપ્યું હતું, તેને મુસલમાન “હૂન” કહેતા “હૂનનું વજન ૧૨૦ ગ્રેન હતું અને તેની કિંમત ચાર રૂપીઆ હતી. હૂન કરતાં ઈબ્રાહિમ બે ભાગે વધારે ભારે હોવાથી તેની કિંમત સવા ચાર રૂપીઆ હતી. બંદરાની વસુલાત હૂન અને ઈબ્રાહીમી નામના સોનાના સિક્કામાં આવતી. ટંકા–આ સિક્કાના સંબંધમાં કવિ રાષભદાસ કહે છે કેમહિષી સમ કે નહિ દુઝાણું, હેમટુંકા સમ નહિ નાણું. ( કુમારપાલરાસ )* ૧ ગુ. સ. સં. પૃ. ૨૫૫. ૨ ગુજરાતને અર્વાચીન ઇતિહાસ પૂ ૨૨૮ ટીપણી. ૩ ઉપર પ્રમાણે પૃ. ૨૪૯ ટીપણી. ૪ આ. કા. મ. મે. ૮ મું પૃ. ૬૬. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy