SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા. ૧૫૭ વિશા પોરવાડ, દશા પોરવાડ અને ઓશવાળ એમ પાંચ જ્ઞાતિઓ જેન સમાજમાં ગણાય છે અને કઈ કઈ કણબીઓ જેન ધર્મ પાળે છે. મુખ્ય ધંધા: જેન કેમ પ્રાચીન કાળથી વેપારમાં નિષ્ણાત છે. ખુશકીને અને દરિઆઈ વેપાર તેઓ બહુ સારી રીતે કરે છે. વાહણો બંધાવવા અને વહાણવટીનો ધંધો કરે તે તેમને મન સહલ હતું. સં. ૧૩૫ર ના એક શિલાલેખમાં જણાવ્યું છે કે પાર્શ્વનાથની વિધિપૂર્વક હંમેશા પૂજા થતી રહે તેને માટે નીચે પ્રમાણે લાગો ઠરાવ્યો હતા. વસ્ત્ર, ખાંડ, કુષ્ટ, મુરૂ, માંસી, ટંકણ, ચામડું, રંગ આદિ ચીજોથી ભરેલા બળદપ્રતિ અર્ધા દ્રમ્ય, એમ બજારમાં આવતા માલ ઉપર કર નાખવામાં આવ્યો છે. આ કરવડે પાર્શ્વનાથની પૂજા વગેરે થાય તેવું ઘણું જૈન આગેવાનોએ સં. ૧૩પર માં સારંગદેવ રાજા રાજ્ય કરતો હતો તેના વખતમાં કરવામાં આવ્યું છે એ ઉલ્લેખ છે. આ ઉપરથી સમજી શકાય છે કે તેઓ કાપડીયા, ગાંધી, કરીયાણું વગેરેના સફરી વેપારી હશે. વર્તમાન કાળમાં પણ કાપડને ધંધે તેમને જ છે. તે સિવાય ચાંદી સોનાને, ઈમારતી લાકડાં, કરીયાણું, ગાંધીઆદું, મનીયારાને તથા હાથી દાંતના ચુડા વહેરવાને તેમને ધંધો છે. કેઈ કઈ કરી કરે છે, કારણ કે દિન પ્રતિદિન ખંભાતમાં ધંધાની મંદી થતી જવાથી આર્થિક મુઝવણે અત્યંત વધી છે; જેથી નાણું રોકી વેપાર ખેડવા કરતાં “ખીંટીએ પિતીઉં” જેવી નોકરી સ્વીકારવા સૌ લલચાય એ દેખીતું છે. ખંભાતમાં ધંધાની મંદીને લીધે ઘણું કુટુંબે કેટલાંય વર્ષોથી મુંબઈ, અમદાવાદ વગેરે મટા શહેરમાં વસવાટ કર્યો છે. તેમાં જેનેની વસ્તી મુંબઈમાં ઠીક પ્રમાણમાં જઈ વસી છે. લગ્નગાળામાં તેઓ આવે છે. લગ્નવિધિ –વર્તમાન સમયમાં જેને માં જે લગ્નવિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવે છે તેજ રીતે ત્રણ વર્ષ ઉપર લગ્ન થતાં હતાં. હમણાં વળી કઈ કઈ લગ્નવિધિના મંત્રો જેન ગ્રંથમાંથી શેાધી કહાડી બનાવેલી જૈન લગ્નવિધિ” નામની ચોપડી પ્રમાણે પરણાવવાનો આગ્રહ રાખે છે. આથી લગ્ન રીતમાં કશો ફેર થતું નથી ગમે તે મ– લગ્નના પ્રચલિત મંત્રોવડે કે જેન મંત્રોવડે) વડે લગ્ન કરાવવામાં આવે પરંતુ જ્યાં સુધી ૧ જુવો પરિશિષ્ટમાં લેખ ૩ જે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy