SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર. ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પ્રવેશોત્સવ– આચાર્યશ્રી પધારવાના હોય તે અગાઉ ખંભાત શહેરના મોટા રસ્તાઓને ધ્વજા પતાકા, તેરણ, વિવિધ ભાવાળા દરવાજા વગેરેથી શણગારવામાં આવતા હતા. વર્તમાન યુગમાં પણ દરેક જૈન દુકાનદાર પોતાની દુકાનના માલનું તોરણ તથા સુંદર આગમન અને સત્કાર સૂચક વાક્યો પોતાની દુકાન આગળ ટંકાવી આવનાર આચાર્ય શ્રી પ્રત્યે પિતાને ભક્તિભાવ પ્રકટ કરે છે. સં. ૧૯ ની સાલમાં મહાન આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા શ્રી વિજયનેમિસૂરિજી જુદા જુદા પ્રસંગે પધાર્યા ત્યારે દરેકના પ્રવેશોત્સવ ઘણીજ ધામધુમથી કરવામાં આવ્યા હતા. હાથી સહિત વરઘોડા ચઢાવવામાં આવ્યા હતા. આવા ધાર્મિક ઉત્સવ કરવામાં જેન પ્રજા સાથે ભાગ ભજવે છે. દીક્ષા મહોત્સવ જે માણસનું સંસાર ઉપરથી હદય ઉઠી જતું ત્યારે તે દીક્ષા લેવા તત્પર થતો. દીક્ષા લેતી વખતે પોતાનાં સગાં વહાલાં ગામના અધિકારી તથા પ્રતિષ્ઠિત વર્ગને બોલાવીને ઘણું ઉત્સાહ પૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવાતું હતું. એ એક પ્રસંગ આ નીચે આપેલ વાંચવાથી ખંભાતમાં થતા દીક્ષા મહોત્સવને ચિતાર રજુ થશે. થંભતીરથ વર ઠામ, મંગલ ગુણિ અભિરામ, - ચતુર્વિધ સંઘ સહાવઈ, ઉચ્છવસ્યઉં મન ભાવઈ–૭૩ નયર ગામાદિક દેસિ, કકત્રિી ગુણ સિ, - જાવડછ કુલચંદ, રાયમલ્લ નાભિ સુભદ–૭૪ દીક્ષા ભાવ વિશાલ, મંડઈ સગુણ રસાલ, સંઘ સહુ ય આણંદઈ, ચાર જેમ ચંદઈ–૭૫ દાનઈ ધનદ સમાણુ, સેમસી નામિ પ્રધાન, સવંસિ સુવિખ્યાત, જસુ ઉજજલ અવદાત–૭૬ ઈદ્રાણીસમ લીલ, ઈદ્રાણી ઉત્તમ સીલ, જસના વંછક બેવઈ, ઉચ્છવ મંડઈ સમેવઈ–૭૭ ફલેકાનાં મંડાણ, દીસઈ વિવિધ વિનાનું, પીઠી મર્દન હવ, સાચવઈ સઘલી સેવ–૭૮ ૧ એ. રા. સં. પૃ. ૩૧ ‘રસરત્નરાસ.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy