SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થંભતીર્થ અને ધાર્મિક મહાજને. ૧૦૭ “ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યું ખરચી એક લખ્ય ત્યારી દેખી સમક્તિ પુરૂષ પામે, અનુંમદે નરનારી. " (હી. રા.) સં. ૧૮૫૦ માં તેણે બહુ ધામધુમથી શત્રુંજયની યાત્રા કરી હતી. સં. ૧૬૪૯ માં શ્રી હીરવિજયસૂરિ ધોલકે હતા અને ખંભાતથી સોની તેજપાલ સંઘ કાઢી ત્યાં ચાલ્ય. બાઈ સાંગ ની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તત્કાલ, પંઠિ સેજપાલાં છત્રીસ, આવ્યાં છેલકે સબલજગીશ. વંદી હીરને નિરમલ થાય. ગુરૂ પુંઠે શેત્રુજે જાય, . સેરઠ દેશને મુગટ જેહ, દીઠે નિરમલ હુએ દેહ. (હીરવિજયસૂરિ રાસ પૃ. ૧૯) : શ્રી હીરવિજયસૂરિ સાથે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમના પવિત્ર હાથે પિતે જેને ઉદ્ધાર કરેલ છે એ મંદિરની મહાન પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના સમયે અસંખ્ય મનુષ્યો આવ્યા હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માલવા વગેરે દેશમાંથી હજારે યાત્રાળુઓ યાત્રા કરવા આવ્યા હતાં. તેમાં ૭ર તે મોટા સંઘ હતા. શ્રી હીરવિજયસૂરિ સાથે એક હજાર સાધુઓ હતા. એક વખત શ્રી હીરવિજયસૂરિ ચૅડિલ ભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રાળુઓ રસોઈ બનાવતા હતા. આ જોઈને સૂરિજીએ ઉપાધ્યાય સામવિજયને તે સંબંધી હકીક્ત કહી. ઉપાધ્યાયે તરત એની તેજપાલને બોલાવી કહ્યું કે તમે આવ્યા છે અને યાત્રાળુઓ પિતાને ઉતારે રાંધી ખાય એ ભાવાળું નથી. સંઘવીએ તત્કાલ યાત્રાળુઓને નિમંત્રણ કરી પિતાને રસોડે જમવા વિજ્ઞપ્તિ કરી. યાત્રાળુઓને બહુ આનંદ થયો અને તેજપાલના ગુણ ગાવા લાગ્યા. ખંભાતમાં સની તેજપાલે સં. ૧૬૪૬ ના જેઠ સુદિ ૯ ને સેમવારે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવી હતી. ને તેની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી હતી. આ સંબંધમાં જેણે નજરેનજર જેએલું છે તે કવિ ઋષભદાસ કહે છે કે – ૧ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે લેખાંક ૯૯૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy