SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થંભતીર્થ અને મહાપુરુષા. કર્ણાવતીમાં વાયડા જ્ઞાતિના કાઇએ બંધાવેલા પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથનાં દન કરી જીનાલયને આટલે વિચાર કરતા બેઠા. હવે ક્યાં જવું ને શું કરવું તે વિચારીએ તેને ઘેરી લીધા. એટલામાં લાઈિ નામની એક છીપણુ ત્યાં દર્શનાર્થે આવી. તેણે ઉદયનને પોતાના ધર્મના જાણી નમન કર્યું અને પૂછ્યું કે તમે કાના મેમાન છે? તેણે જવાબ આપ્યા કે હું પરદેશી છુ ને જે એલાવે તેના મેમાન થાઉં. આથી લાષ્ઠિ તેને પાતાને ઘેર તેડી ગઇ અને એક ઘર આપી તેને રાખ્યા. કેટલેક સમય ઉદ્યમ કર્યો પછી તેની પાસે કઇક દ્રવ્ય એકઠું થયુ તે દ્રવ્ય વડે તે ઘરના તેણે દ્વિાર કરાવવા માંડયા. ઇશ્વરકૃપા તેના ઉપર ઉતરતાં તે ઘરના પાયામાંથી ઘણુ દ્રવ્ય નીકળ્યું. તે દ્રવ્ય તેણે લાઈિને આપવા માંડયું. લાષ્ટિએ તે ન લેતાં એટલુ જ કહ્યું કે એતા તમારા ભાગ્યનુ છે. ન ઈશ્વર કરૂણા જ્યારે મનુષ્ય પર અવતરે છે ત્યારે તે સહેજમાં રકમાંથી રાય અને છે. તેમ ઉડ્ડયન પાસે દિન પ્રતિદિન ધનાદિકની વૃદ્ધિ થવા લાગી. તેણે કર્ણાવતીમાં ઘણું દ્રવ્ય ખરચી ઉદયવસહી નામના મેટા દેવળમાં ૭ર તીથંકરની મૂર્તિ પધરાવી. કરણરાજાએ તેની ધર્મપ્રિયતા, કુલિનતા, ધનાઢ્યતા અને કુશળતા ઈત્યાદિ ગુણા જોઇ તેને પેાતાના મંત્રી બનાવ્યેા. vG સિદ્ધરાજના સમયમાં તે જ્યારે ખંભાત હતા ત્યારે કુમારપાળ ભટકતા ભટકતા ખંભાત આવ્યા હતા. તેને ઉદયન પેાતાને ઘેર લઈ ગયા હતા ને તેની સારી મેમાનગીરી કરી જતી વખતે કેટલાંક દ્રવ્ય આપ્યું હતું. સિદ્ધરાજના મરણુ કેડે કુમારપાળ ગાદી ઉપર બેઠા ત્યારે તેણે ઉદયનને મંત્રીપદે કાયમ રાખ્યા હતા. ને ત્યારપછી તેના પુત્ર વાગ્ભટ્ટને પ્રધાન બનાવ્યા હતા. દ'ડાધિપતિ સજ્જન—(વિ. સ. ૧૧૭૬) મહારાજા સિદ્ધરાજે સારડના રાજા રાખેંગારને માર્યા પછી સારઠના કારભાર પેાતાના સુભટ્ટે સજ્જન અથવા સાજણને સોંપ્યા હતા. આ દંડનાયક વનરાજના પ્રધાન ચાંપા (જામ) ના વંશના હતા. સજ્જન ખભાના હતા. જૈનધર્મ પાલક હતા. પ્રભાવક ચરિત્રમાં સજ્જન વિષે હકીકત આવે છે પરંતુ તે ખંભાતના હતા કે કાંના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy