SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બાબતોમાં સાધુને ભેળવવાનો પ્રયત્ન કરીને આપણે તેમના સંયમને ભ્રષ્ટ કરીએ છીએ. ઘણી વખત કોઈ તીર્થની પ્રેરણા કરનાર મહારાજશ્રીને આપણે જે તે તીર્થના માલિક માની લઈએ છીએ. એ તીર્થમાં કોઈપણ કાર્ય કરાવવાનું હોય, કોઈ અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વીને (ચોમાસુ) રોકાણ કરાવવું હોય, જિર્ણોદ્ધાર કરાવવાનો હોય, સાલગીરી ઊજવવાની હોય ત્યારે વેવલા-હજૂરિયા ટ્રસ્ટીઓ ગુરુ મહારાજના પગ પકડી રાખે છે. અરે ભાઈ, એ તો આચાર્ય છે, સાધુ છે. એ કાંઈ તીર્થના માલિક થોડા છે ? એમને વહીવટી કાર્ય સાથે શી લેવા-દેવા હોય ? સાધુ કાંઈ હિસાબ-કિતાબ તપાસનારા ઓડીટર થોડા છે ? અણઘડ, નાદાન અને છીછરી મનોવૃત્તિના હજૂરિયા ટ્રસ્ટીઓ ‘બાપજી, બાપજી' કરીને ચારિત્રવાન ગુરુને પતન તરફ ખેંચી જાય છે. એમ કરનાર વ્યક્તિ દોષમાં પડે છે. એવો કોણ ભ્રષ્ટ સાધુ હોય કે જે પોતાને તીર્થનો માલિક સમજતો હોય ? એવો કોણ છીછરો સાધુ હોય કે જેને પોતાના નામનાં ટ્રસ્ટો-ફાઉન્ડેશનો બનાવવાની ગરજ હોય ? એવો કોણ દંભી સાધુ હોય કે જેને પોતાના જયજયકાર કરાવવાનું અને સામૈયાં તથા ભવ્યાતિભવ્ય વરઘોડા કાઢીને શ્રાવકોના લાખો રૂપિયાના ધુમાડા કરવાનું પ્રિય હોય ? એવો કોણ વેપા૨ી વૃત્તિનો સાધુ હોય કે જેને પોતાનાં પુસ્તકોનું કેટલું વેચાણ થયું અને બાકીનાં પુસ્તકોનું કઈ રીતે વેચાણ કરવું વગેરે બાબતોમાં રસ હોય ? સાધુ તો સદાય સાધનામય, સાદગીમય, સંયમમય જીવન જીવવા કટિબદ્ધ હોય છે પણ આપણે જ મુનિને મુનીમ બનાવી દઈએ છીએ ! જે સાધુ આપણને સદુપદેશ આપે છે એને જ આપણે દુરાચાર તરફ ઢસડી જઈએ છીએ. આપણી સાંસારિક અને વ્યાવસાયિક સમસ્યાઓના ગરબા ગાઈને મુનિને ભ્રષ્ટ કરીએ છીએ. ઘણા વેવલા ભક્તોએ તો સાધુઓને ફોન, ટી.વી. જેવી ચીજો પણ ભેટ આપી છે, બોલો ! અરણ્યના એકાંતમાં આરાધના કરી રહેલા મહાવીર માટે કોઈકે ઘાસની - માસ મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy