SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાત્ર પ્રત્યે છલોછલ વહાલ હોય છે. (૩) રાગ-દ્વેષ અને અહંકારથી એ મુક્ત રહે છે. (૪) એ પરમ ત્યાગી છે. માત્ર વૈભવવિલાસ જ નહિ, પોતાનું સાંસારિક નામ પણ એ છોડી દે છે. (૫) મોહ-માયાનાં વળગણો એને પજવતાં નથી. (૬) પૈસાને તે સ્પર્શ પણ કરતો નથી. (૭) અજાણતાં થયેલા પાપકર્મનું પણ પ્રતિક્રમણ કરે છે. (૮) સમભાવ અને સમતામાં સ્થિર રહે છે. (૯) કોઈ પણ સાંસારિક સંદર્ભો અને સંબંધોથી એ ખરડાતો નથી. (૧૦) સૌ કોઈને ધર્મનો ઉપદેશ આપે છે. (૧૧) પગે ચાલીને વિહાર કરે છે, ક્યાંય સ્થિરવાસ કરતો નથી. (૧૨) કેશલોચ કરે છે. (૧૩) ગુરુની આજ્ઞામાં રહે છે. (૧૪) વિવાદ અને વૈમનસ્યથી વેગળો રહીને સંઘની એકતામાં નિષ્ઠા ધરાવે છે. (૧૫) ઘેર ઘેર ફરીને ગોચરી વહોરી પોતાનો નિર્વાહ કરે છે. પોતાનું નામ સુધ્ધાં છોડીને વ્યક્તિ મુનિ બને છે અને મહાવીરના માર્ગનો અનુગામી બને છે. પવિત્ર અને પારદર્શક જીવન જીવવા માટે એ પ્રતિજ્ઞાબદ્ધ બને છે. શ્રાવકોએ એના ચારિત્ર્યધર્મની અનુમોદના કરીને, તેની પવિત્રતાની માવજત કરવાની હોય છે. મોટા ભાગના શ્રાવકો ભક્તિભાવે સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરે છે અને ધર્મલાભ પામે છે. પરંતુ ક્યારેક શ્રાવકોની વાહિયાત વેવલાઈ સાધુના માર્ગમાં અવરોધો પેદા કરે છે. કોઈ સાધુને વંદન કરવા જઈએ ત્યારે, “ગુરુજી ! આપને શાનો અભ્યાસ ચાલે છે?' એમ પૂછવું જોઈએ એના બદલે, “મહારાજ સાહેબ, કોઈ ચીજનો ખપ છે?' એમ પૂછવામાં આવે છે. ઘણા ભક્તો તો સંયમધારી સાધુને ઇમ્પોર્ટેડ પેનો, ઘડિયાળો અને અન્ય સામગ્રી ભેટ આપી આવે છે. ભક્તોની લાગણીનો અનાદર કરવાનું શક્ય ના બને ત્યારે સાધુ એનો સ્વીકાર કરે છે. આપણે એના ઉજ્જવળ સંયમની સરાહના કરવાને બદલે સ્થળ અને ભૌતિક ભેટસોગાદો અર્પણ કરીએ છીએ. એ રીતે એના સંયમને અભડાવીને દોષમાં પડીએ છીએ. મહારાજને કોઈ પુસ્તક છપાવવું હોય, કોઈ તીર્થ બનાવવું હોય તો એમાં એમની માત્ર પ્રેરણા જ પૂરતી છે. પુસ્તક કયા પ્રેસમાં છપાવવું, તેનું વેચાણ કઈ રીતે કરવું, તેનું ટ્રસ્ટ ક્યા નામે બનાવવું, કોને કોને ટ્રસ્ટી બનાવવા વગેરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy