SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિને મુનિ રહેવા દો મુનીમ ના બનાવો ! સાધુ સદાય આદરણીય હોય છે. એમાં ય જૈન સાધુ વિશેષ આદરણીય હોય છે. તેની કઠોરતમ આચારસંહિતા અને તેની અનુમોદનીય જીવનશૈલીને કારણે માત્ર જૈનો જ નહિ, જૈનેતરો પણ પૂજ્યભાવે તેની સામે મસ્તક નમાવે છે. આચાર્ય ભગવંત, સાધુ-સાધ્વી ભગવંત, આચાર્યદેવ જેવાં વિશેષણો દ્વારા સાધુને “ભગવાન”ની કક્ષાએ મૂકવામાં આવે છે. જૈન સાધુને ભગવાનની કક્ષા અમથી નથી મળી. કોઈ વ્યક્તિ જ્યારે જૈન ધર્મમાં દીક્ષિત થાય છે, ત્યારે એને મુમુક્ષુ કહેવાય છે. મુમુક્ષુ એટલે મોક્ષ મેળવવાની ઝંખના ધરાવનાર. “દીક્ષા લીધી” એના માટે જૈન ધર્મમાં વિશિષ્ટ બે શબ્દો પ્રયોજાય છે : (૧) સંયમ લીધો, (૨) ચારિત્ર્ય લીધું. આ ઉપરાંત પ્રવજ્યા, અણગારપદ વગેરે પ્રયોગો પણ જોવા મળે છે. “સંયમ' અને “ચારિત્ર'એ અધ્યાત્મનાં શિખરો છે. વિશ્વવત્સલ તીર્થકર મહાવીરના અનુયાયી મનાતા જૈન સાધુની ઉત્કૃષ્ટ બાબતો કઈ ? (૧) એની આંખોમાં અપાર કરુણા હોય છે. (૨) એના હૈયામાં 92 મારા મહાવીર, તારા મહ્મવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy