SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુત્વ પામી શકાય. આ ઉપરાંત જ્ઞાન અને ક્રિયાનો સમન્વય પણ તેમણે જરૂરી લેખ્યો છે. તેઓ કહે છે કે અપંગ માણસ જંગલમાં આગ લાગેલી જોવા છતાં તેનાથી ભાગીને દૂર જઈ શકતો નથી. એ જ રીતે આંધળો માણસ ભાગી જવા માટે સમર્થ હોવા છતાં આગ જોઈ શકતો નથી તથા દિશાહીન છે. તેથી તે પણ બચતો નથી. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થાય ત્યારે જ આત્મા શુભત્વને પામી શકે છે. બોંતેર વર્ષનું અલ્પાયુષ્ય ભોગવવા છતાં, ભગવાન મહાવીરના વ્યક્તિત્વનો પ્રભાવ યુગો યુગો સુધી ઓજસ્વી બની રહ્યો છે. પળનો ય પ્રમાદ ન કરીશ’ એમ કહેનાર પ્રભુ મહાવીરે એ બોતેર વર્ષમાં અપ્રમાદ અને જાગૃતિની કેવી ઉપાસના કરી હશે એ વિચારીને, તેમાંથી પ્રેરણા લેવાનો આ ધન્ય અવસર છે. ભગવાન મહાવીરે જ્ઞાનની વાતો લોકબોલીમાં અને લોકભાષામાં કરી, તેથી તેઓ વધુ આદરપાત્ર બન્યા હતા. આમ તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બન્ને સમકાલીન હતા. બન્નેએ પ્રેમ, ક્ષમા, અહિંસા અને મૈત્રીના મંગલ મંત્રોથી ધરતીને ધન્ય કરી હતી. ભગવાન બુદ્ધે કહ્યું કે બહુજનહિતાય’ પ્રવૃત્તિ કરો. તમારા જીવનનો ઉપયોગ ઘણાબધા લોકોના શ્રેય અને પ્રેમ માટે કરો. ભગવાન મહાવીરે એમાં થોડો ફેરફાર કર્યો. “બહુજનહિતાયને બદલે “સહુજન હિતાયની વાત કરી. આ થોડો ફેરફાર ભારે મોટો અર્થભેદ કરનારો બની રહ્યો. એ જ રીતે, એ વખતે એમ કહેવાતું કે તમારા શત્રુને પણ મિત્ર સમજો . ભગવાન મહાવીરે તેમાં પણ થોડો ફેરફાર કર્યો અને કહ્યું કે, બહારના જગતમાં કોઈને શત્રુ માનશો જ નહિ. શત્રુને પ્રથમ શત્રુ કહેવો અને પછી તેને મિત્ર બનાવવો એના કરતાં એને શરૂથી જ મિત્ર બનાવવાની વાત મહત્ત્વની છે. જે વ્યક્તિ બહારના શત્રુઓ ઉપર વિજય મેળવે તે વીર છે, પરંતુ રાગદ્વેષ, મોહ ઈત્યાદિ જેવા ભીતરના શત્રુઓને જીતે તે મહા-વીર છે. ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને ઊજવવા માટે જો આપણે પણ ક8 મા મહાવીર, તાસ. મહાવીર સ્વામી " Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy