SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ “અનેકાન્ત” એટલે એક જ સત્યને પામવા માટેના અનેક માર્ગોનો સમજપૂર્વકનો સ્વીકાર. મારું એટલું જ સાચું નહિ, પણ સાચું એટલું મારું એવી વિનમ્ર વૃત્તિ એમાં છલોછલ હોવી જોઈએ. વિરોધી વ્યક્તિના વિચારોમાં પણ સત્ય હોઈ શકે છે, એ બાબતને સહજરૂપે સ્વીકારવી એ અનેકાન્ત છે. તિથિ અને તીર્થના ઝઘડામાં અટવાયેલો કોઈ જૈન પોતાને ભગવાન મહાવીરનો અનુયાયી કહી શકે ખરો ? અને કદાચ કહે તો એના જેવો દંભી બીજો કોણ હોય ? દિગંબર જૈનો એમ સમજે છે કે ભગવાન મહાવીર આજીવન બ્રહ્મચારી હતા. શ્વેતાંબર જૈનો કહે છે કે તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતાં અને તેમને પ્રિયદર્શના નામે એક દીકરી પણ હતી. આ બન્ને વિરોધી ખ્યાલોમાંથી તટસ્થ જૈન કોની વાત સ્વીકારશે? ભગવાન મહાવીર એક જ હતા એ તો બન્ને પક્ષ માને છે. તો પછી કાં તો એ બ્રહ્મચારી જ હોય અને કાં તો વિવાહિત તથા અબ્રહ્મચારી જ હોય. બન્ને એકસાથે શી રીતે હોઈ શકે ? અર્થાત્ આ બે પક્ષમાંથી કોઈ એક પક્ષ સાવ ખોટો છે. તટસ્થ જૈન વ્યક્તિ મહાવીરના સિદ્ધાંતોને વફાદાર રહે તો પૂરતું છે, કારણ કે અર્થહીન વિવાદોથી શાસનની અવહેલના અને ભગવાન મહાવીરની અપ્રતિષ્ઠા જ થાય. એક તર્ક એવો પણ છે કે મહાવીરને પત્ની-પુત્રી બધું જ હતું, પરંતુ તેમના પ્રત્યે આસક્તિ નહોતી. એટલે બધું જ હોવા છતાં કશું જ ન હોવા જેવું હતું. આપણે કયો અને કોનો તર્ક સ્વીકારી શું ? ભગવાન મહાવીરે વર્ષો પહેલાં વૃક્ષોની માવજત કરવાનું સૂચવ્યું હતું. દરેક નગરને એક ઉદ્યાન હોવો જોઈએ એ વાત તેમણે કરી હતી. આજે પ્રદૂષણની સમસ્યા માઝા મૂકી રહી છે અને વિજ્ઞાનીઓ વૃક્ષોનું જતન કરવા કહે છે ત્યારે મહાવીરના વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે સ્વાભાવિક રીતે જ અહોભાવ પ્રગટે છે. જીવદયાની અને અહિંસાની વાત ભગવાન મહાવીરે જ્યારે રજૂ કરી ત્યારે આટલા બધા વ્યાધિઓ નહોતા અને આટલી વિનાશક અણુવિસ્ફોટક શક્તિ પણ નહોતી. પ્રકૃતિમાં ખલેલ પાડવાની માનવીની અનુચિત વૃત્તિએ જગતને આજે વિનાશના જડબામાં લાવીને ગોઠવી દીધું છે. ભગવાન મહાવીરની દીર્ધદષ્ટિએ ભવિષ્યને કેટલી હદે આત્મસાત્ કર્યું હશે ! જ્યારે આપણે તો ભૂતકાળમાં ય ભૂલા પડીને ગોથાં ખાઈએ છીએ. 5: 15: ઉજડી મારા ગળાવીરા તારી મહાવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy