SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આજે આપણી સરકારની વાયદા, વિલંબ અને ધક્કાની નીતિ જોઈએ છીએ ત્યારે ભગવાન મહાવીરનો ઉપદેશ યાદ આવે છે. તેમણે કહેલું, “હે ગૌતમ, તું પળનો ય પ્રમાદ ન કરીશ.' શિષ્ય ગૌતમે પ્રશ્ન કર્યો, “પ્રભુ, માત્ર એક જ પળનો પ્રસાદ કેવો અનર્થ સર્જી શકે ? શું આપની વાત આત્યંતિક નથી ?' પ્રભુએ કહ્યું, “હે ગૌતમ, સળગતો દીવો એક પળમાં બુઝાઈ શકે છે અને બુઝાયેલો દીવો ફરીથી એક પળમાં પ્રજ્વલિત થઈ શકે છે. જીવ પણ દીપક સમાન છે, કઈ પળે તે કેવી ગતિ પામશે તેની ખબર નથી. માત્ર એક પળ પણ જીવનને અંધકારમાં ધકેલી શકે છે અને જાગૃતિની એક જ પળ તેને પ્રકાશમાં લાવી શકે છે.' ભગવાન મહાવીરે જ્ઞાન અને ક્રિયાને પરસ્પરનાં પૂરક કહ્યાં છે. માત્ર જ્ઞાન હોય અને તે અનુસાર ક્રિયા (વર્તન) ન હોય તો એ જ્ઞાન નર્યો બોજ છે. એ જ રીતે માત્ર ક્રિયા હોય અને તેમાં જ્ઞાનનો અભાવ હોય તો એ ઢસરડો છે, વૈતરું છે. ધર્મ એ માત્ર જ્ઞાન નથી કે માત્ર ક્રિયા નથી. ધર્મ અને ક્રિયાના સમન્વયવાળો ધર્મ જ આત્માનું કલ્યાણ કરી શકે છે. આપણે કઈ દિશામાં છીએ ? શાની વર્ગ ક્રિયાથી વિમુખ અને ક્રિયાકાંડવાળો વર્ગ જ્ઞાનથી વંચિત હોય તેવું વ્યાપક સ્વરૂપે નથી દેખાતું શું? ભગવાન મહાવીરે કહ્યું છે કે માત્ર માથું મૂંડાવી દેવાથી સાધુ બનતું નથી. સમ્યફ આચરણ, સમ્યફ જ્ઞાન અને સમ્યફ અભિગમ વગરનો બાહ્ય ભેખ તો પ્રપંચ બની રહે છે. લક્ષ્મીનો ત્યાગ કરીને, લક્ષ્મીવાનોની કદમબોસી કરનારો સાધુ ભગવાન મહાવીરનો દ્રોહી જ ગણાય. પોતાના જ નામનાં ટ્રસ્ટોફાઉન્ડેશનો ઊભાં કરવાં, હજૂરિયા શ્રીમંતોને ટ્રસ્ટીઓ બનાવવા, ટ્રસ્ટનું ભંડોળ સતત છલકાતું રહે તે માટે ઉજાગરા કરવા, ભાડૂતી લેખકો પાસે લખાવીને પોતાને નામે પુસ્તકો પ્રગટ કરવાં, ઇમ્પોર્ટેડ ઘડિયાળો-પેનો વાપરવી, બીજા સમુદાયના સાધુ પ્રત્યે દ્વેષભાવ રાખવો આવાં અઢળક અનિષ્ટોમાં ડૂબેલો માણસ પોતાને ગચ્છાધિપતિ કહેવડાવે કે પરમ તારક મહારાજા કહેવડાવે, એ ભગવાન મહાવીરનો દ્રોહી જ છે. મોક્ષની બડી બડી વાતો કરનારો આવો કોઈ ધર્માત્મા પોતાનું સામાન્ય જીવન પણ સુધારી શકતો નથી, એ આપણને મોક્ષ શું બતાવશે ? બાબા રામ બાપાના મારા મહાવીર, તારા મહાવીર ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy