SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ન રહી. ચિત્તની સાધના પરમ કોટિએ પહોંચી અને તેમને કેવળજ્ઞાન થયું. કેવલી તરીકે ત્રીસ વર્ષ રહીને આશરે બોતેર વર્ષની ઉંમરે જીવન સમેટી લીધું. એક સામાન્ય માનવીની જેમ જન્મીને પરમાત્મ પદ સુધી પોતે પહોંચ્યા અને જગતના જીવો સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું કે કોઈ પણ જીવ આ રીતે પરમ પદના શિખરે પહોંચી શકે છે. આવો ઉમદા ચમત્કાર ભગવાન મહાવીરે કર્યો હતો ! - તેઓ વર્ધમાન મટીને “મહાવીર' શા માટે કહેવાય? બીજાને જીતવાનું કામ તો સરળ છે. સરળ કામ કરનારને વીર ન કહેવાય. પોતાને જીતવાનું જ સૌથી દુષ્કર છે. પ્રભુએ દુષ્કર કાર્ય સહજ રીતે પાર પાડ્યું તેથી તેઓ “મહાવીર' કહેવાયા. બીજાઓ ઉપર વિજય મેળવે તે વીર હોઈ શકે, પણ પોતાની જાત ઉપર વિજય પામનાર તો મહાવીર જ હોય ભગવાન મહાવીર સૂક્ષ્મ સત્યના સફળ સાધક હતા. એક વખત એમને એક જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછયો, “હે પ્રભુ! આળસુ થવું સારું કે ઉદ્યમી ?" પ્રભુએ કહ્યું, “બને...” “એવું કઈ રીતે ? જે અસંયમી છે તે આળસુ હોય તો સારું, જેથી તેવી વ્યક્તિ અન્યનું અકલ્યાણ ન કરે, પરંતુ જે વ્યક્તિ સંયમી છે તે ઉદ્યમી હોય તો સારું. કારણ કે સંયમી વ્યક્તિ તો સદાય પારકાના હિત માટે જ ઉદ્યમ કરશે.' ભગવાન મહાવીર મમત્વના નહિ, સત્યના સાધક હતા. અન્ય ધર્મો પ્રત્યે એમના દિલમાં કટુભાવ નહોતો. જીવમાત્રને સમાનભાવે જોનાર ભગવાન મહાવીરની જન્મશતાબ્દી ઊજવતી વખતે આપણા અંતરમાં એમણે પ્રેરેલી ભાવનાઓ ભરપૂર રૂપે છલકાઈ ઊઠવી જોઈએ. તેઓ કહેતા કે માત્ર જ્ઞાન અને માત્ર ક્રિયા બને અપૂર્ણ છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વય વિના મોક્ષ અસંભવિત છે. તો આવો, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી આપણે આપણા વ્યક્તિત્વને સભર કરી દઈએ...! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy