SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ સુલક્ષણવાળો પ્રમાણોપેત હોય (૪) વામન સંસ્થાન - તે ઠીંગણું સંસ્થાન જેમાં પીઠઉદર, છાતી એ ત્રણ સરખા તે સિવાયના હાથ-પગ શિર ડોક વગેરે નાના હોય. (૫) કુન્જ સંસ્થાન - તે વામનથી વિપરીત એટલે હથ-પગ-શિર વગેરે લક્ષણયુક્ત પરંતુ છતી-પેટ-પીઠ વગેરે પ્રમાણોપેત ન હોય (૯) હુંડ સંસ્થાન - જેના સર્વ અવયવો પ્રમાણોપેત ન હોય હિનાધિક, અશોભનિક હોય (દેવોને સમચતુરસ સંસ્થાન, નારકીને હુંડ સંસ્થાન, મનુષ્ય-તિર્યંચ ને એ સંસ્થાન હોય છે. પ્રશ્ન કર - ૧૪ ગુણસ્થાનમાં ૬ સંસ્થાનમાંથી કેટલા સંસ્થાન હોય? ઉત્તર – ગુણસ્થાન સંસ્થાન ૧ થી ૧૪ માં ૬ સંસ્થાન હોય. પ્રશ્ન ૭૩ - સમુદ્દઘાત એટલે શું? અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – સમ = એક ભાવ વડે તન્મયતાથી ઉત્ = પ્રબળપણે, અધિક્તાથી કર્મોનો ઘાત કરવો તે. મૂળ શરીરને છોડયા વિના જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્રઘાત કહેવાય છે. અર્થાત્ વેદના આદિની સાથે એકાકાર થયેલો આત્મા કાલાન્તરમાં ઉદયમાં આવનારા વેદનીય આદિ કર્મ પ્રદેશોને ઉદીરણા દ્વારા ઉદયમાં લાવીને તેની પ્રબલતાપૂર્વક નિર્ભર કરે તેને સમુદઘાત કહે છે. તેના સાત ભેદ છે. (૧) વેદના સમુદ્રઘાત - તીવ્ર અશાતા વેદનીય કર્મથી પીડિત જવ અનંતાનંત કર્મસ્કંધોથી વ્યાપ્ત પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે અને મુખ, ઉદર આદિ ધ્રિો તથા કાન અંધાદિના અંતરાલોને પૂર્ણ કરીને લંબાઈ વિસ્તારમાં શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને અંતર્મુહૂર્ત સુધી રહે છે તેમાં ઘણા અશાતા વેદનીય કર્મ પુદગલોની નિર્જરા થાય છે. આ રીતે વેદનાના કારણથી થવાવાળો સમુદૂધાત તે વેદના સમુદ્ધાત કહેવાય છે. (૨) કષાય સમુઘાત - ક્રોધાદિ કષાયના કારણથી થવાવાળો સમુદ્યાત તે કષાય સમુદઘાત તીવ્ર કષાયના ઉદયથી વ્યાકુળ જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી મુખ ઉદર આદિના છિદ્રો પૂરી કાન સ્કંધાદિના અંતરાલને પૂરી લંબાઈ, પહોળાઈમાં શરીર પરિમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને અંતર્મુહૂર્ત રહે છે તેમાં ઘણાં કષાયના પુદ્ગલોની નિર્જરા થાય છે. અને કષાય સમુદ્ધાતમાં ઘણાં નવા કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. (૩) મારણાંતિક સમુદ્યાત - મરણકાળમાં થવાવાળાં સમુદ્ધાતને મારણાંતિક સમુદૂધાત કહે છે. કોઈ જીવ આયુષ્ય કર્મ અંતર્મુહૂર્ત શેષ રહેવા પર પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી કાન, કંપાદિના અંતરાલને પૂરી મુખ, ઉદરાદિના છિદ્રો પૂરી જાડાઈ-પહોળાઈ, શરીર પરિમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ એક દિશામાં અસંખ્ય જોજન ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. અને ઘણા આયુષ્ય કર્મના લિકોની નિર્જરા કરે (૪) વૈક્રિય સમુઘાત - વૈકિય શરીર બનાવવા માટે જે સમુદ્યાત થાય તે વૈક્તિ સમુદ્ધાત. તે વૈક્તિ શરીર નામ કર્મને આશ્રિત છે. કોઈ વૈક્રિય લબ્ધિવાળો જીવ વૈકિય શરીર કરતી વખતે પોતાના આત્મપ્રદેશોને પોતાના શરીરથી બહાર કાઢી જાડાઈ-પહોળાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં સંખ્યાતા જોજન પરિમાણ દંડ બનાવે છે. અને પૂર્વબધ્ધ, વૈક્તિ શરીર નામ કર્મની નિર્જરા કરે છે. (૫) તૈજસ સમુઘાત - તૈજસ લેશ્યા કાઢતા સમયે તેજો લબ્ધિવાળા સાધુ આદિ સાત આઠ કદમ પીછેહઠ કરી ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy