SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ છે અઢીદ્વીપની ઐશ્વર્યતા...! | લોકમાં અસંખ્ય દ્વીપો તથા અસંખ્ય સમુદ્રો રહેલાં છે. તેમાં મહત્ત્વ અઢીદ્વીપનું છે. કારણ કે આ અઢીદ્વીપ ક્ષેત્રમાં જ રહેલાં મનુષ્યો સાધના કરીને કર્મક્ષય કરી મુક્તિ પામી શકે છે. આ માટે અઢીદ્વીપને ‘મનુષ્ય ક્ષેત્ર એવું નામ આપેલું છે. હવે આ અઢીદ્વીપમાં જંબુદ્વીપ પછી ક્યા ક્યા ક્ષેત્રો આવેલાં છે વગેરે વર્ણન તેનાં પ્રશ્નોત્તર રૂપે શરૂ થાય છે. પ્રશ્ન ૧ - જંબુદ્વીપ પછી તેને ફરતો ક્યો સમુદ્ર આવેલ છે? ઉત્તર - જંબુદ્વીપને ફરતી જગતી એટલે કોટ રહેલ છે. ત્યારપછી તેને ફરતો લવણસમુદ્ર આવેલ છે. પ્રશ્ન ૨ - લવણ સમુદ્રનું સંસ્થાન (આકાર) કેવા પ્રકારનું છે? ઉત્તર - લવણ સમુદ્ર વૃત વલયાકાર ચંડી યા ચક્રનાં આકારે સંસ્થિત છે. પ્રશ્ન ૩ - ચક્રાકાર લવણ સમુદ્રની લંબાઈ પહોળાઈ કેટલી છે. ઉત્તર - ચક્રાકાર લવણ સમુદ્રની લંબાઈ-પહોળાઈ ૨ લાખ યોજનની છે. પ્રશ્ન ૪ - લવણ સમુદ્રની પરિધિ કેટલી છે? ઉત્તર - લવણ સમુદ્રની પરિધિ ૧૫ લાખ ૮૧ હજાર ૧૪૮ યોજનથી કાંઈક અધિક છે. (૧૫,૮૧, ૧૪૮ યોજન ઝઝેરી) પ્રશ્ન ૫ - લવણ સમુદ્રની ઊંડાઈ અને ઊંચાઈ કેટલી છે? ઉત્તર - લવણ સમુદ્ર ૧0 યોજન ઊંડો છે અને ૧0 યોજન ઊંચો છે. સર્વ મળી ૧0 યોજન છે. જંબુદ્વીપની જગતીને સ્પર્શેલા આત્યંતર કિનારાથી ૯૫00 યોજન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે. જેથી ૯૫O યોજનને અંતે ૧0 યોજન જેટલી ભૂમિ ઊંડી થવાથી ત્યાં જળની ઊંડાઈ ૧0 યોજન છે. તેવી જ રીતે ધાતકી ખંડને સ્પર્શેલા કિનારાથી ૯૫0 યોજન (જંબૂઢીપ તરફ) આવીએ ત્યાં સુધી ક્રમશ ભૂમિ ઉતાર થતાં ત્યાં પણ ૫% ને અંતે જળની ઊંડાઈ ૧0 યોજન થયેલી છે. એવા પ્રકારનાં ભૂમિ ઉતારને શાસ્ત્રમાં ગોતીર્થ' કહે છે. લવણ સમુદ્ર બે લાખ યોજન વિસ્તારવાળો હોવાથી બે બાજુનાં ૫O+ ૯૫0 ગોતીર્થનાં બાદ કરતાં અતિ મધ્યભાગે શેષ ૧00 યોજન જેટલા વિસ્તારમાં ૧0 યોજન ઊંડાઈ એક સરખી રીતે છે. તથા બંને બાજુએ જેમ ૯૫0 યોજન સુધી ભૂમિ ઉતાર છે તેમ ૯૫0 યોજન સુધી જળ પણ અનુક્રમે સમભૂમિથી સપાટીથી ચઢતું ચઢતું ઊંચું થતું જાય છે. જેથી બંને બાજુ ૯૫જી ને અંતે સમભૂમિની સપાટીથી 0 યોજન જેટલું જળ ઊંચુ છે. જેથી તે સ્થાને નીચે 100 યોજન ઊંડાઈ અને ૭00 યોજન ઊંચાઈ હોવાથી ત્યાંની ભૂમિથી ૧૭0 યોજન જેટલું ઊંચુ જળ છે. ઉપર કહ્યા મુજબ બે બાજુનાં ગોતીર્થની વચ્ચે જે ૧00 યોજન સુધી એક સરખુ ૧0 યોજન ઊંડું જળ છે તે જળની ઉપલી સપાટીથી ૧ 0 યોજન ઊંચુ ચારે તરફ વલયાકારે ભીત્તિ સરખું જળ છે તે શિખા (લવણ સમુદ્ર રૂપ પુરુષની ઊભી ચોટલી સમાન) કહેવાય છે. એ શિખા જળ તે જંબુદ્વીપની સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (99) | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005345
Book TitleSachitra Jain Tattvadarshan Part 02
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherJain Darshan Prakashan
Publication Year
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy