________________
નવમો બોલ
ઉપયોગ બાર પાંચ જ્ઞાન
૧. મતિ જ્ઞાન ૨. શ્રુત જ્ઞાન ૩. અવધિ જ્ઞાન
૪. મન:પર્યવ જ્ઞાન ૫. કેવળ જ્ઞાન ત્રણ અજ્ઞાન :
૬. મતિ અજ્ઞાન ૭. શ્રુત અજ્ઞાન ૮.વિભંગ અજ્ઞાન ચાર દર્શનઃ ૯. ચક્ષુઃ દર્શન
૧૦. અચક્ષુ દર્શન ૧૧. અવધિ દર્શન ૧૨. કેવલ દર્શન જ્ઞાન
ઉપયોગ શબ્દનો અર્થ છે—કામમાં લાવવું. જ્ઞાન અને દર્શનને કામમાં લાવવાનું નામ ઉપયોગ છે. જાણવું આત્માનો ગુણ છે. વસ્તુઓમાં બે મુખ્ય ધર્મ હોય છે–એકાકારતા અને ભિન્નીકારતા. આપણે એકાકારતા વડે પદાર્થોને જાણીએ છીએ. તે જાણવાની ક્રિયાને દર્શન અથવા સામાન્ય બોધ કહે છે. ભિન્નકારતા વડે જાણવાને જ્ઞાન અથવા સાકારબોધ કહે છે–જેમ કે આપણે એક પરિષદ અથવા એક બાગને જોઈએ છીએ, તે આપણો સામાન્ય બોધ (દર્શન) છે. અને તે પછી જયારે આપણે તેના ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ કે વૃક્ષોને જાણીએ છીએ, તે આપણો વિશેષ બોધ (જ્ઞાન)
= ૩ નવમો બોલ -૪૭
--
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org