________________
પહેલો બોલ
ગતિ ચાર
૧. નરક ગતિ ૨. તિર્યંચ ગતિ ૩. મનુષ્ય ગતિ ૪. દેવ ગતિ
જૈન દર્શનમાં જીવના બે પ્રકાર માનવામાં આવ્યા છે – સિદ્ધ અને સંસારી.
પ્રત્યેક વસ્તુમાં કંઈક ભિન્નતા છે, તે તેની અસમાનતાના આધારે પામી શકાય છે. અસમાનતા વિજાતીય વસ્તુઓમાં મળે, એમાં તો આશ્ચર્ય જ શું? પરંતુ સજાતીય વસ્તુઓમાં પણ તે પ્રાપ્ત થાય છે અને તેના જ આધારે એકજાતીય વસ્તુઓનું પણ પૃથક્ પૃથફ વર્ગીકરણ કરવામાં આવે છે.
જીવનું લક્ષણ ચેતના – ઉપયોગ છે. તે જીવમાત્રમાં મળે છે. સામાન્ય ચૈતન્યની દૃષ્ટિએ બધાં જીવો સમાન છે – એકજાતીય છે; પણ આત્મ-શુદ્ધિ સહમાં એક સરખી નથી જોવા મળતી. એટલા માટે જીવોના બે વર્ગ કરવામાં આવ્યા છે – સિદ્ધ જીવ અને સંસારી જીવ. જે આત્માઓ કર્મ- રજને ધોઈ –માંજીને સંપૂર્ણપણે ઉજજવળ બની જાય છે, તેમને સિદ્ધ કહે છે. આવા આત્માઓ અનંત છે. તે સિદ્ધ આત્માઓ લોકના ઉપરના અંતભાગમાં રહે છે. તેમને
= આ પહેલો બોલ - ૧ દર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org