SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૂના કરારમાં મુસાને ઉપદેશ તથા જૂના કાળથી સંગ્રહેલા નિયમોને સમાવેશ છે. એ નિયમોનું–સંશોધન કરાયું છે. માટે ઈસુના ઉપદેશનાં સંગ્રહ અને ઈસુની ચમત્કારિક પ્રશંસાને નવા કરારનું નામ સાંપડેલું છે. જેઓ હજરત ઈબ્રાહીમના પૌત્ર યાકુબના અનુયાયીઓ છે. તેમને ઈસ્રાએલ કહેવાય છે. યહુદાના અનુયાયીઓ યહૂદી (અથવા યહૂદાહમાં રહેવા પરથી પણ યહુદી) કહેવાય છે. આ બન્ને પ્રજા જૂના કરારમાં માને છે. જૂના કરારમાં સામાન્ય રીતે સદાચારના નિયમો અને યજ્ઞને લગતી વાતે વિશેષ છે. ખ્રિસ્તીઓના ઘણું સંપ્રદાયો છે છતાં સહુ જૂના કરાર અને નવા કરાર બન્નેને માને છે, એટલે આપણે અહીં “ઈસુ ઉરને વંદન કર્યા, એમાં આ પ્રમાણેની પરંપરાએ તેઓ બધા આવી જાય છે. ઈસુએ યજ્ઞ કે સાબ્બાથ દિવસને મહત્ત્વ નથી આપ્યું, પણ જીવન વર્તનને મહત્ત્વ આપ્યું છે. બકરાનાં અને વાછરડાના યજ્ઞને નામે યહુદાહ દેવને અર્પણ કરાતાં બલિઓ છોડાવી જીવદયાનું એણે અભુત કાર્ય બનાવ્યું છે, એ વિષે કહેબ્રીઓને પત્રમાં આમ લખેલું છે. “ઈસુ બકરાના તથા વાછરડાના રક્તથી નહિ પણ પોતાના જ રક્તથી (માણસોને સારુ, સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો.” (૯-૧૨). કેમકે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત; પાપો દૂર કરવા સમર્થ નથી.” (૧૦-૪) સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા (જૂના કરાર) નિયમ શાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ (ખરો આત્મા) તેઓમાં નહતી, માટે જે એકના એક વર્ષો વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા. તેથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને (જના કરાર રૂ૫) નિયમ શાસ્ત્ર કદી સમર્થ નહતું. જે એમ હેત, તે યજ્ઞ કરવાનું શું બંધન થાત ?” (૧૦ ) - ઈસના રક્તને નામે દ્રાક્ષારસ આ રીતે લેવાય છે. ઈસુ મહાત્માની પહેલાં તો નિર્દોષ પશુના રક્તથી વસ્ત્રોને પવિત્ર કરાયેલાં મનાતાં. આ પરથી ઈસુની ભૂત દયા, પ્રેમ, ક્ષમા આદિનો ખ્યાલ આવી રહે છે. યહૂદી અને ઈસ્રાએલ પ્રજાને સાબ્બાથદિન એટલે શનિવારનો મહિમા છે. ઈસુના અનુયાયીઓ રવિવાર પાળે છે. અને ઈસ્લામીઓ શુક્રવાર પાળે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy