SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હજરત મહંમદ સાહેબ - મહમ્મદ સાહેબના જીવનમાંથી અને તેમના પ્રિય ગ્રંથ કુરાને શરીફમાંથી જે વાતે તારવી શકાય છે, તે સમાજજીવનની તાજગી ભાટે ભવ્ય છે. (૧) કોઈ પણ જાતની ગુલામીમાંથી માનવજાતને મુકત કરવી. (૨) સત્ય સિવાય કોઈને પ્રધાનપણું ન આપવું. (૩) સ્ત્રી જાતિને પૂજા દ્વારા ઊંચે ઉઠાવવી. (૪) હરામનું અનાજ પેટમાં ન નાખવું. (૫) ધનસંચય ન કરે અને કરે પડે તો ત્યાં એનું વ્યાજ ન લેવું. (૬) બધા ધર્મને પેગંબરને પોતાના પેગંબર માનવા. રમજાન ઈદ રમજાન ઈદને સંદેશો : રજાના પવિત્ર તહેવારોમાંથી તરબોળ થઈ ઈદને દિવસે મુસ્લિમ બિરાદરે બહાર આવે છે, ત્યારે તેમને “ઈદમુબારકનો સંદેશો આપવાનું સહેજે મન થાય. મને છેલ્લાં વર્ષોથી ઘણીવાર એ સવાલ ઉઠે છે કે મુરિલમલીગનેતાઓની દોરવણીથી મૌલવી સહિત દેરવાઈ ગયેલી મોટાભાગની મુસ્લિમ આમજનતાએ જે કૃત્ય કર્યા છે, તે કૃત્યથી ઈસ્લામી ઊંચે ગયો કે નીચે પડ્યો ? જવાબ વેદનાભર્યા શબ્દોમાં નિરાશા જ સાંપડે છે. જ્યાં એકેશ્વરના નેજા નીચે રહેલી પ્રાણિજત પ્રત્યેની બિરાદરીને સંદેશ અને ક્યાં આ લૂંટ, આગ, અત્યાચાર, બળાત્કાર અને ભયંકર વટાળવૃત્તિ. તાજેતરમાં દિલ્હીના આગેવાન મુસ્લિમોએ શ્રી. ઝીણાસાહેબ સામે હીટલરની જેમ કેસ ચલાવવાની રાષ્ટ્રમૂહના પેટા પંચને જે વિનંતિ કરી છે, તે તેમને રોષ બાદ કરતાં જે એમનું હૃદયદુઃખ છે, તેની કહેવાતા બિનમુસ્લિમ કદર બૂઝશે અને આ હૃદયદુ:ખ માટે હિંદીસંઘના મુસ્લિમ મોમીન સભાના પ્રમુખ છે. અન્સારીની હાકલને આચરી બતાવી છેલ્લાં વર્ષોમાં પિતાની અને પિતાના ભાંડની ભૂલોને સાફ કરી નાંખશે એવી ખાસ અપેક્ષા છે. બાપુજીએ પોતાના બલિદાન દ્વારા કેમવાદના ઝેરને ઉઘાડું પાડી દીધું. હવે કહેવાતા મુસ્લિમોએ પાકિસ્તાન તથા હિંદીસંઘની પ્રજાને એ દેખાડી આપવાનું છે કે તેઓ કોમવાદના ઝેરને સમૂળું ઓકી કાઢી હિંદીસંઘની વિશ્વ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy