SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધપૂર્ણિમા + વિશ્વશરેય બુદ્ધદેવ “જ્યાં લગી જગતમાં એક પણ પ્રાણી દુઃખી છે ત્યાં લગી મને નિર્વાણનું પરમસુખ પણ ખપતું નથી.” આવાં વચને અંતરથી ઉચ્ચારનારને ખોળે જવાની કોણ ના પાડે ? એટલે “બુદ્ધ શરણં ગચ્છામિ” એ માત્ર બૌદ્ધોને ઉચ્ચાર નહિ પણ જીવમાત્રને ઉચ્ચાર છે એમ માનીને જ બુદ્ધદેવને વિશ્વશરેયનું વિશેષણ મેં મૂક્યું છે. માયાવતી માતા અને શુદ્ધોદન પિતાના એ સુકુમાર પુત્રનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. શાકયનીતિના ક્ષત્રિયોનો પુત્ર હોઈ તેઓ શાક્યસિંહ નામે પણ ઓળખાય છે. જનેતાએ તે જન્મ પછી સાતમે જ દહાડે કાયમી વિદાય લીધી હતી પણ એમની અપરમાતા મહાપ્રજાપતિ ગૌતમી અને સ્નેહાળ પિતાએ એનાં લાડકોડ અને સુખચેનમાં મણ આવવા દીધી નહોતી. હિમાલયની તળેટી પાસે ઊભેલી એ કપીલવસ્તુ નગરીના રાજકુમારની જુવાની યશોધરા નામે લાવણ્યવતી સ્ત્રી સાથે વિયે જતી હતી. એક સુખીસંસારની દૃષ્ટિએ કઈ જ ખામી સિદ્ધાર્થને નહોતી, પણ એને પિતાના જીવનમાં ક્યાંક ઊણપ જ ઊણપ છે, એમ લાગ્યા કરતું. છન્ન નામના સારથિ જોડે ઉદ્યાનક્રીડા કરવા જતાં વૃદ્ધ, રોગી અને મૃતક એ ત્રણ દશ્ય એમણે જોયાં અને એ મંથનમાં પડ્યા. શું જન્મ સાથે રગ, જરા અને મૃત્યુ એવી એવી સ્થિતિઓ જોડાયેલી જ છે તો આ મનુષ્ય શરીરને અંતિમ હેતુ શ?મેંક દિવસોના સાચા વિચારને અંતે એમનામાં ઉદાસીનતા જાગી. એ કશે જ નિર્ણય કર્યા વિના એક રાત્રિએ યશોધરા, નવ પ્રસૂત પુત્ર રાહુલ, માતાપિતા અને માયાળુ મિત્રોને છોડી કોઈને મળ્યા વિના ગયા તે ગયા જ. નાના કુટુંબરૂપી ઝરણીને છોડી વસુધારૂપી કુટુંબના મહાસાગરમાં મળવાનું તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું. હજારેનો અન્નદાતા આજે ચાંડાલથી માંડીને બ્રાહ્મણ સુધીના કહેવાતા દાતાઓને ભિક્ષુક બને. આધારકાધામ અને ઉદ્રક એ બે ઋષિઓ પાસે શાકયસિંહે શિષ્યભાવે જ્ઞાન લીધું પણ છેવટે એ જ્ઞાનને જાતે અનુભવવા પોતે જ પોતાને ગુરુ બન્ય, બાહ્ય તપસ્યાની ધૂનમાં ને ધૂનમાં એ તપસ્વીએ હદ વટાતી દીધી. એનાં પીઠ અને પેટ ચેટીને એક થયેલાં દેખાયાં. ચાલવાની પણ શક્તિ એણે ગુમાવી. એકદા એ સિદ્ધાર્થ અતિવિલાસને માર્ગે હતા, આજે એ તપસ્વી સિદ્ધાર્થ અતિત્યાગને માર્ગે હતા. રૂપકમાં એમ કહેવાય છે કે “રતે ચાલતી વારાંગનાઓ પિતાના વાઘકારેને સંબોધતાં કહે છે : વીણાના તારને ન અતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy