SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શારદામણિદેવી [માગશર વદ દશ ] માગશર વદ દશમ એ છે શારદાદેવીને જયંતિદિન. શારદામણિદેવીનું નામ શ્રી રામકૃપાળુ પરમહંસનાં નામ સાથે સર્વ પરિચિત છે. કસ્તૂરબાએ બાપુજીની છાયારૂપે રહી જેમ રાષ્ટ્રને વેગ આપો તેમ શરિદા દેવીએ પરમહંસના સંન્યાસી પદને સમર્થન આપ્યું એટલું જ નહિ બલકે એમના મિશનને એમની ગેરહાજરી પછી પણ ચલાવ્યું અને દઢ બનાવ્યું. સ્ત્રીમાં ક્ષમા, ત્યાગ, તપ અને સ્વાર્પણ ઉપરાંત શાસક શક્તિ પણ કેવી હોય છે એને પરચો આપે. ભારતવર્ષની આર્યાનારીઓએ પિતાનાં શિયળ અને સમર્પણથી જે હિંદઘડતર કર્યું છે, તેનું ચિંતન કેઈપણ તટસ્થચિંતકને આનંદ આપ્યા વિના નહિ રહે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન અને યોગી વિવેકાનંદસ્વામીના હૃદયગુરનાં પત્ની અને પછીથી–માતાનું બિરુદ પામનાર શારદામણિદેવીને યાદ કરતાં હૈયું પુલકિત બની જાય છે. આંતરત્યાગી અને તપ મૂર્તિ પતિદેવની પાછળ કષ્ટમયે જિંદગી ગુજારવા તત્પર થયેલાં શારદામણિ એકમાત્ર પતિપરાયણતોના આદર્શ સિવાય નવજીવનના પથ પર પગલું કેમ માંડી શક્યાં હશે ? અરણ્યમાં એકલી અટુલી એ મહાન અને વીર નારીને ભીલદંપતિનું માર્ગદર્શન કઈ દિવ્યસંપત્તિના બળે મળ્યું હશે? આ બધું વિચારતાં અંતઃકરણ આપોઆપ નમી પડે છે. રામકૃષ્ણ પરમહંસની જીવનમુક્તિનાં-અનોખી પ્રેરણું આપનાર-સારથિરૂપ અને એમને દેહવિલય બાદ અનેક અનુયાયીજનાં હૃદયનાથરૂપ એ શારદામણિદેવીની જન્મજયંતિ નારીજગતને માટે સનાતન પદાર્થપાઠ છે. ઝાંપ, તા. ૮–૧–૪૮. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy