SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ણણણણણણણણણણણણણણણણણણણણણણ એ થઈ? કઈ કઈ સાલના શિલાલેખો અને પ્રતિમા લેખો સાંપડે છે? પ્રભુજીના છે પ્રભાવે ભૂતકાળમાં કયા કયા ચમત્કારો થયા અને વર્તમાનમાં આ તીર્થસ્થાનો કયાં છે? વગેરે માહિતીઓ આપવામાં આવી છે. જેમાંની કેટલીક માહિતીઓ અપ્રસિધ્ધ છે તો કેટલીક અલ્પપ્રસિદ્ધ છે. જેવી કે - ગિરિરાજ ઉપર હીરાકુંડ બંધાવનાર હીરાબાઇએ ૯૯ વાર શ્રી શત્રુંજયનો સંઘ કઢાવેલ. (પૂર્વ ૯૯ વાર શ્રીઝષભદેવ પ્રભુ શત્રુંજય ગિરિરાજ પર પધારેલા અને ઘણા ભાવિકોએ ૯૯ યાત્રા કરી છે તે સાંભળ્યું છે પણ ૯૯ વાર શ્રીશનું જયનો સંઘ કઢાવ્યો હોય તેવો ખ્યાલ ઘણા ઓછાને હશે.) ગિરિરાજ પર સવાસોમાની ટુંક છે તેવું સાંભળ્યું છે પણ આ ટુંક શોધવા જઈએ તો ય ન મળે. તો આ ટુંક કયાં આવી? જે ચૌમુખજીની ટુંક છે તેજ સવાસોમાની ટુંક છે. આવી અનેક માહિતીના ભંડારસમાં આ પુસ્તકની જૂની ગુજરાતી ભાષા તેમજ જોડણીદોષોને લગભગ યથાવત્ રાખી કવચિત્ થયેલ હકીકતદોષને સુધારી લીધેલ છે. લગભગ અપ્રાપ્ય થયેલ આ પુસ્તિકા પુનઃ પ્રાપ્ય બને તે ભાવનાથી તેનું વૈરાગ્યદેશનાદક્ષ પૂજયપાદ પ્રગુરુદેવ શ્રીમવિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજપ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પુનઃ પ્રકાશન કરાવવામાં આવ્યું છે. સંપાદનમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેનું હાર્દિક મિચ્છામિ દુક્કડં. પ્રાન્ત... તીર્થયાત્રાર્થે જતા યાત્રાળુઓને કેટલાક સૂચનો આપવાનું મન થઈ જાય છે. ૧. તીર્થસ્થળો એ આરાધનાના સ્થળો છે, હલસ્ટેશનો નથી તેમ સમજીને ત્યાં રહેવું. ૨. તીર્થોમાં જુગાર ખેલવો નહિ. ૩. રાત્રિભોજન કરવું નહિ, તેમજ અભક્ષ્ય, કંદમૂળ અને આઇસક્રીમ - ઠંડા પીણા પીવા નહિ. ನಖಶಿಖಣಿಖಚಿತನನನನನತನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005337
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1994
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy