________________
અદ્ધિ-સિદ્ધિને બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમપંથના પ્રવાસી બનતા હતા અને અન્ય સ્વમાનેલી સર્વ વ્યાહજનક વસ્તુઓને તરછોડીને નિર્ગસ્થ બનતા હતા. આમ અબજો વર્ષો પર્યત તેઓ સંયમનું શુદ્ધ પાલન કરતા હતા. એટલે દિર્ઘકાળ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દઢતા અને ભાલ્લાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખો હતે,-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય છાએ સ્વાધ્યાયને રસ લખલૂટ લુંટ જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમસ્થિરીકરણ કરવા માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરણને નવવધૂનું સૌન્દર્ય-લાવણ્ય-વચન-વિલાસ રૂપ અને રંગ પ્રતિક્ષણ ચિત્તભૂમિ ઉપર સમરણ થયા જ કરે છે, તેમ સંયમ પાળનાર પવિત્ર ત્યાગી પુરૂષના હૃદયપટ ઉપર શાસ્ત્રસ્વાધ્યાય, તેના વિષયે, તેનું પરિજ્ઞાન અને ચિંતવન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કર્મવનને બાળીને તથા મેક્ષાસ્પદને જલદી મેળવીને, આત્યંતિક અને એકાન્તિક સુખને શાશ્વત જોકતા બને છે.
શ્રી સર્વજ્ઞ ભગવંતે એ નિર્મળ કેવલજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમજ તે જ્ઞાન શ્રી ગણધર ભગવતેએ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમ રૂપે ગુચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધ જ્ઞાન આજે જે આગમાં મળે છે, તે શ્રી ગણધર ભગવાનેએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org