SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ vinayak શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મા-બીજો ભાગ સ્વામીએ અચેલક કલ્પ કહ્યો છે અને મહાયશ શ્રી પાર્શ્વનાથસ્વામીએ શ્રી મહાવીર-શિષ્યાની અપેક્ષાએ વિશિષ્ટમાન-વર્ણ તથા બહુ મૂલ્યવ ંત પ્રધાન વસ્ત્રવાળે કલ્પ કહ્યો છે. એક કા માટે પ્રવૃત્ત ખનેના કલ્પના ભેદનું શું કારણ છે ? હું મેધાવિન્ ! એ પ્રકારના લિંગભેદમાં શું અવિશ્વાસ થતે નથી ? શ્રી કેશીના આ પ્રશ્નના શ્રીં ગૌતમસ્વામી જવાબ આપે છે કે-કેવલજ્ઞાન રૂપી વિજ્ઞાનથી જે જેને ઉચિત હોય, તે તેને તે રીતિએ જાણીને વર્ષાકલ્પ વગેરે ધર્મોપકરણ-સાધન દર્શાવ્યું છે. પહેલાંના અને છેવટના સાધુએને જો લાલ વસ્ત્રો આદિની અનુજ્ઞા આપવામાં આવે, તે જી-૧૩-જડતાના કારણે વસ્ત્રોને રંગવા વગેરેમાં પણ પ્રવૃત્તિ કરી બેસે! આથી તેની રજા આપી નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્યે તેવા નડુ હાવાથી તેઓને લાલ વગેરે વસ્રની અનુજ્ઞા કરેલ છે. વળી ‘આ જૈન સાધુએ છે ’–એની પ્રતીતિ માટે નિયતુ-રજોહરણુ વગેરેના નાનાવિધ કરણની વ્યવથા-રચના કરેલ છે. વળી સંચનિર્વાહ રૂપ યાત્રા માટે મુનિવેષ રૂપ લિંગનુ પ્રયાજન છે,કેમ કે—વર્ષાક૫-ક મલ વગેરે વિના વૃષ્ટિ ગેરેમાં સંયમની બાધા જ થાય ! વળી ‘હું મુનિ છું’-એવા પેાતાના જ્ઞાન માટે મુનિવેષ રૂપ લિંગનું પ્રત્યેાજન છે, કેમ કે—કેઇ વખત મનની અસ્થિરતાવાળા દશામાં પણ ‘હું મુનિ છું’ તેનુ ભાન રહે છે. વળી જ્ઞાન-દન-ચરિત્ર રૂપ રત્નત્રયી જ મેાક્ષનાં તા.વક કારણા છે.’~એવી પ્રતિજ્ઞ સ્વીકાર શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરમાં એક જ છે, એમાં ભેદ નથી. Jain Educationa International -. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy