SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તે પણ પુદગલને પરિણામ છે. કેમકે અંધકાર આંખે દેખી શકાય છે. વળી તમામ પુદગલે કિરણોત્સર્ગ પરિણામવાળા હોવાથી તેને ફેટેગ્રાફ પરિણામ પણ શક્ય હોય છે. भेदसंघाताभ्यां चाक्षुषाः ॥ २८ ॥ ઉપર જણાવેલ પુદગલ દ્રવ્યના વિવિધ સ્વરૂપી પુગલ સ્કે કેટલીક વખત કઈ એક કંધમાંથી છૂટા પડવાથી દેખાય છે. તો કેઈક વખત બીજા ધમાં મળવાથી દેખાય છે. એટલે છે કેઈક સૂક્ષમ પરિણામી સ્કંધ કેઈક સ્કધથી છૂટે પડવાથી સ્પષ્ટ દેખાય જયારે કેટલાક સ્કધે એકબીજા સ્કર્ધન મળવાથી દેખાય છે. આ રીતે ચક્ષુથી દેખાવાપણામાં તે તે પુદગલ દ્રવ્યના પરિણામની મુખ્યતા કહી જ્યારે કેટલીક વખત જેનારની દષ્ટિની મુખ્યતાએ સૂફમવસ્તુ સ્થૂલ સ્વરૂપે તેમજ ભૂલ વસ્તુ સૂકમ સ્વરૂપે પણ દેખાય છે. (આમાં જવાના સાધન વિશેષની મુખ્યતા જાણવી) વળી સાધન વિશેષથી તે અદૃષ્ટ પુદ્ગલ પરિણામ પણ દષ્ટ બની શકે છે. (દેખાવમાં આવી શકે છે) તેમજ ગય પણ બની શકે છે. અત્રે એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે સૂક્ષમ પરિણામ કંધ ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ શકતું નથી उत्पाद् व्यय ध्रौव्ययुक्तं सत् ॥ २९ ॥ પૂર્વે પંચાસ્તિકાય રૂ૫ પાંચે દ્રવ્યોનું જે સ્વરૂપ જણાવ્યું તે સમગ્ર સ્વરૂપને હવે વિકાલિક (સત) અસ્તિત્વ ભાવે જે ત્રિવિધ શું છે તે જણાવે છે. સકળ પાંચ દ્રવ્ય સ્વતઃ અને પરતઃ પિતપોતાના પરિણામિકાદિ ભાવોમાં નિરંતર પ્રત્યેક સમયે સમયે કથંચિત્ ઉત્પાદ સ્વરૂપે કથંચિત્ વ્યય સ્વરૂપે તેમજ કથંચિત ધ્રુવ સ્વરૂપે પરિણામ પામતાં જ રહે છે. આ વિવિધ પરિણામને પ્રત્યેક એક સમયાશ્રિતપણે-ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી સમજવાની ખાસ જરૂર છે કેમકે તે સ્વરૂપ સમજવાથી સમ્યકત્વ દઢ થાય છે. અન્યથા મિથ્યાભાવમાં જતાં આ સૂત્રકારને મુખ્ય ઉદ્દેશ જે ક્ષતવના સાથસાધન ભાવનું જ્ઞાન કરાવવાનું છે તે જ શૂન્ય થઈ જશે. આ જગતમાં જે જે પદાર્થ-દ્રવ્ય યા વરતુ જે કઈ ભાવમાં (દ્રવ્યત્વભાવે તેમજ પર્યાયત્વ વરૂપે) જેવા-જાણવામાં આવે છે તે ઉપર જણાવેલ વિવિધ સ્વરૂપે લેવાથી સત્ છે. માયા યા મિથ્યા અસત્ રૂપ નથી. જે ત્રિવિધ સ્વરૂપી નથી તેને અસત્ કહી શકાય. અન્યથા પ્રગટ સત્ સ્વરૂપને જે લોકે અસતું, કહે છે. તેઓને તે પ્રગટ પણે માયા-મૃષાવાદી જાણીને તેઓને સંસર્ગ વવો જોઈએ દષ્ટાંત તરીકે – કેઈક સુવર્ણ દ્રવ્યમાંથી બંગડીઓ બનાવી ત્યારે તે વખતે સુવર્ણ દ્રવ્યની પૂર્વ અવસ્થાને ક્ષય (વ્યય) થાય છે અને બંગડી સ્વરૂપી પર્યાયને ઉત્પાદુ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy