SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ). ભવે મેક્ષસુખને પામશે. એનું વિશેષ સ્વરૂપ સુબાહુકુમારની કથામાંથી તેની પ્રમાણેજ સમજી લેશું. હવે શ્રેયાંસ કુમારની કથા કહે છે ગજપુર નગરમાં બાહુબલિ રાજાના પુત્ર સમપ્રભ રાજ્ય કરતા હતા. તેમના પુત્ર શ્રેયાંસ કુમાર નામના હતા. એકદા તે નગરમાં શ્રી કષભપ્રભુને આવેલા દેખીને તે શ્રેયાંસ સન્મુખ ગયે. ભગવંતને નમસ્કાર કરી, ત્રણ પદક્ષિણ દઈ હર્ષાશ્રુના જળવડે પ્રભુના ચરણ પખાળતાં તે હૃદયમાં ચિતવવા લાગે કે-“મેં આવું રૂપ પૂ દીઠું છે.” પછી “ કયારે દીઠું છે ?” તે સંભારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ઋષભપ્રભુને ને પિતાને પૂર્વભવનો સંબંધ જાણીને ફરી નમસ્કાર કરી “મને ભવસમુદ્રમાં આ પ્રવહણ મળેલ છે” એમ વિચારવા લાગ્યું. તે અવસરે કઈક માણસ શેરડીના રસના ઘડા તેમને ભેટ કરવા માટે લાવ્યો. તે જોઈ શ્રેયાંસકુમારે પ્રભુને કહ્યું કે- હે સ્વામી ! આ નિર્દોષ એવા ઈરસને ગ્રહણ કરે ને મારાપર અનુગ્રહ કરો.” પ્રભુએ 5 વસ્તુ જાણીને હાથ લંબાવ્યા. શ્રેયાંસે ઈશુરસ વહોરાવ્યો. પ્રભુએ ત્યાંજ વાર્ષિક તપનું પારણું કર્યું. તે વખતે ૧રા કોડ સુવર્ણની, શ્રેષ્ઠ રત્નોની, ગોદકની અને પંચવર્ણ કુસુમેની વૃષ્ટિ થઈ. “ભરતક્ષેત્રમાં આ અવસર્પિણમાં આ પ્રથમ દાન, સુદાન, મહાદાન થયું.” એવી આકાશવાણી થઈ. ત્યારપછી ત્યાં આવેલા સેમપ્રભ રાજા વિગેરે લોકોએ શ્રેયાંસની ધન્ય અને કૃતપુણ્ય તરીકે પ્રશંસા કરી. શ્રી કષભદેવના છદ્મસ્થપણાના એક હજાર વર્ષને અંતે તેમના ઘાતિકર્મો ક્ષય પામવાથી તેમને કાલેક પ્રકાશક કેવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy