SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૬ ) કરડક નામના તે નગરીના ઉદ્યાનમાં શ્રી વીરપ્રભુ સમવસર્યા. રાજાને વધામણી આવતાં વધામણી લાવનારને ૧૨૫ લાખ દ્રવ્ય દાનમાં આપ્યું. પછી યાયાગ્ય વાહનમાં આરૂઢ થઈ રાજા અને કુમાર પરિવાર સહિત વંદન કરવા આવ્યા. પ્રભુના ઉપદેશથી પ્રતિબંધ પામતાં કુમારે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યાં. તે વખતે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે- હું સ્વામી ! આ સુખાડું સુભગ અને સ જનને ઇષ્ટ કયા કર્મોથી થયેલ છે ? ' એટલે પ્રભુએ કહ્યુ કે– એના જીવ પૂર્વભવમાં તિનાગપુરમાં સૂક્ષ્મ નામના વ્યવહારી હતા. એ ગૃહસ્થે ૧૦૦ સુનિઓના પરિવાર સાથે આવેલા ધમ ઘાષ આચાર્યંના શિષ્ય સુદત્ત મુનિને અત્ય'ત હર્ષિત ચિત્તે માસખમણને પારણે પડિલાભ્યા હતા. અને તેથી ભાગ મૂળ કર્મ ઉપાર્જન કર્યુ હતુ. તે વખતે આકાશમાં દેવદુંદુભિનુ વાગવું, વસ્ત્રની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, પંચવણ પુષ્પાની વૃષ્ટિ અને અહેાદાન અહેાદાન એવી ઉદ્ઘાષણા રૂપ પાંચ દિવ્ય પ્રગટ થયા હતા અને ત્યાં એકત્ર મળેલા રાજા વિગેરેએ તેની ઘણી પ્રશંસા કરી હતી. તે સૂક્ષ્મ વ્યવહારી મરણુ પાર્ટીને સૌભાગ્યાદિ ગુણયુક્ત આ સુમાહુ કુમાર થયેલ છે, ’ ગૌતમસ્વામીએ ફરીને પૂછ્યું કે- હું ભગવન્ ! આ સુબાહુ ચારિત્ર અંગીકાર કરશે ? 'પ્રભુએ કહ્યું કે-‘ કરશે. ’ હવે એકદા અઠ્ઠમને તપ કરીને તેણે પૌષધ ગ્રહણ કરેલ છે. તે વખતે તેને વિચાર આળ્યે કે-‘ તે ગામ, નગર અને રાજા વિગેરેને ધન્ય છે કે જ્યાં શ્રી મહાવીર પરમાત્મા વિચરે છે.’ આવા તેના વિચાર જ્ઞાનવડું જાણી વીરપ્રભુ ત્યાં પધાર્યાં. સુબાહુ કુમારે વંદન કર્યું. પછી પ્રભુને ઉપદેશ સાંભળીને ‘હું માતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy