SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫) પાત્ર બે પ્રકારે છે. પાત્રો અને કુંડી. પુસ્તક પણ જાણીતું છે. કંબળ ઉનની બનેલી હોય છે. પાદછન રજોહરણને કહે છે. દંડ એટલે દાંડે, અઢી હાથ પ્રમાણ તે સસ્તારક અને શરીર પ્રમાણે તે શય્યા–અન્ય શબ્દથી મુખવસ્તિક વિગેરે ઉગમાદિ દોષરહિત સર્વ ઉપગરણ શ્રાવકે સાધુને આપવા. સુપાત્રદાનમાં શામાટે આટલે બધે યત્ન કરે? તે કહે છે જે કારણ માટે સુપાત્ર દાન દેવાથી વિશિષ્ટ વિશિષ્ટતા સુખની પ્રાપ્તિરૂપ કલ્યાણ થાય છે. વળી ઉત્તમ બધિ એટલે જન્માંતરમાં ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ સંબંધમાં વિપાક નામના અગ્યારમા અંગના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં દશ અધ્યયને કહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે. ૧ સુબાહુ, ૨ ભદ્રનંદી, ૩ સુજાત, ૪ વાસવ, ૫ જિનદાસ, ૬ ધનપતિ (વૈશ્રમણ), ૭ મહાબળ, ૮ ભદ્રનંદી, ૯ મહાચંદ્રને ૧૦ વરદત્ત. સુપાત્રદાનથી આ ભવમાં પણ ઉત્તમ ભેગ સંપદાની પ્રાપ્તિ થાય છે. જેમ શ્રેયાંસને તથા મૂળદેવ રાજાને પ્રાપ્તિ થયેલ છે. ઉપર જણાવેલ દશ દષ્ટાંતેમાંથી પ્રથમ સુબાહુની કથા કહે છે. આ ભરતક્ષેત્રમાં હસ્તિશીર્ષ નામનું નગર છે. ત્યાં અદીનશત્રુ નામે રાજા છે. તેને ધારિણી નામે રાણી છે. તેને અન્યદા સિંહના સ્વપ્નથી સૂચિત પુત્ર થયે. તે સર્વાંગસુંદર લેવાથી તેનું સુબાહુ નામ પાડ્યું. તે પાંચ ધાત્રીઓથી પળાતે વૃદ્ધિ પામ્યું. રોગ્યવયે ભણવા મૂક્યો. અધ્યાપકે તેને સારી રીતે ભણાવ્યું. અનુક્રમે યૌવન પામ્યું. રાજાએ ૫૦૦ મહેલે કરાવીને તેને પ૦૦ કન્યાઓ સાથે પરણાવ્યું. તે બધીમાં પુષ્પચૂલા મુખ્ય હતી. રાજકુમાર યથેચ્છપણે વિષયસુખ ભેગવવા લાગ્યા. એકદા પુષ્પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy