SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૩) પછી દેશ-મગધાદિ સાધુવિહારને યોગ્ય, ક્ષેત્ર-સંવિજ્ઞજનેથી ભાવુક કે અભાવુક, દ્રવ્ય-સુલભ કે દુર્લભ વસ્તુ, અવસ્થા–સુભિક્ષ દુર્ભિક્ષાદિ, પુરૂષ–આચાર્ય, ઉપાધ્યાય, બાળ, વૃદ્ધ, વાન, સહનશીળ કે અસહનશીલ–એ બધાને વિચાર કરીને જેમ વૈદ્ય દેશકાળાદિ વિચારીને વ્યાધિવાળાની ચિકિત્સા કરે તેમ શ્રાવક પણ આહારદાનરૂપ કિયા બધે વિચાર કરીને કરે. ૧૭૪. હવે દાનક્રિયામાં ઉત્સર્ગ અપવાદ બતાવે છે – સાધુને પ્રાસુકને એષણીય આહારાદિની પ્રાપ્તિ થતી હોય અને તેવી રીતે નિર્વાહ થતો હોય તે ૪૨ દેષથી દૂષિત આહારાદિ લેનારને અને આપનારને–બંનેને સંસારની વૃદ્ધિ અને અલ્પાયુષ્યતાદિના કારણભૂત હોવાથી તે અપથ્ય છે અને અપવાદ માગે તે જેમ રેગીને અમુક અવસ્થાને લઈને પથ્ય પણ અપથ્યપણે પરિણમે છે અને અમુક અવસ્થાને લઈને અપથ્ય પણ પથ્ય પણે પરિણમે છે તેવી રીતે તેજ આહાર દુભિક્ષ પ્લાનાદિ અવસ્થામાં મુનિને નિર્વાહ તદન નિર્દોષ આહારથી ન થત હોય ત્યારે લેનારને અને દેનારને બંનેને ઉચિતપણને લઈને પથ્ય તેમજ હિતકારી થાય છે. કહ્યું છે કે– બધી રીતે સંયમની રક્ષા કરવી અને સંયમવડે આત્માની રક્ષા કરવી. એવી રીતે કરવાથી અતિપાતથી મૂકાય છે ને પાછી શુદ્ધિ થાય છે તથા અવિરતિ થતી નથી.” આ પ્રમાણે જાણીને આગમન અભિએ યથાવસરે બહુતર ગુણ ને લાભની કાંક્ષાવડે લેવાતું ને દેવાતું અન્નાદિ દોષ માટે થતું નથી. ૧૭૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy