SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) રાજાએ પિંગળદાસની જીન્હા છેદી નાખવાને હુકમ કર્યો હતે તે વખતે દિવાકરે તેને જીવિતદાન અપાવી તેની ઉપર ઉપકાર કર્યો. એકદા મયૂરના માંસને દેહદ પૂરવાવડે મિત્રસેના દાસી ઉપર ઉપકાર કર્યો. અન્યદા રાજાના કેધાયમાન થવાથી જીવિતને સંદેહ પ્રાપ્ત થયે સતે પિંગળે કે મિત્રસેનાએ દિવાકરને કાંઈપણ મદદ ન કરી. તેટલા ઉપરથી કુસંગતિની પરીક્ષા કરીને દિવાકર મંગળપુર ગયો અને ત્યાંના રાજા પૂર્ણચંદ્રના પુત્ર ગુણચંદ્ર કુમારની સેવા કરવા લાગ્યા. એકદા કુમાર વિપરીત શિક્ષાવાળા અશ્વ ઉપર બેસતાં તે અશ્વ કુમારને અટવીમાં લઈ ગયે. કુમાર તૃષાકાંત થયે. તે વખતે દિવાકર પણ સાથે હતો. તેની પાસે પાકાં ત્રણ આમળાં હતાં. દિવાકરને કુમારે કહ્યું કે “તું મને પાણી ગમે ત્યાંથી લાવીને પા.” પરંતુ કઈ જગ્યાએથી પાણી ન મળવાથી કુમારને ત્રણ આમળાં ખાવા આપ્યાં, તેથી તે તૃપ્ત થયે અને દિવાકર ઉપર સંતુષ્ટ થયે. બંને સાથે તેના નગરમાં આવ્યા. કુમાર વિચારે છે કે-દિવાકરે આપેલા ત્રણ આમળાનું મૂલ્ય આંકી શકાય તેમ નથી, કારણકે તેનાવડે મારૂં જીવિત રહ્યું છે.” ત્યારપછી કેટલેક વખતે તે ગુણચંદ્ર રાજા થયે, તેણે દિવાકરને મંત્રી બનાવ્યું. રાજાને એક પુત્ર થયે. તે દરરોજ પરિવાર સાથે દિવાકરને ત્યાં જાય છે. હવે દિવાકર વિચારે છે કે જે રાજા મારા મહાન દોષને પણ સહન કરે તે મને તેનામાં ઉત્તમપણાની ખાત્રી થાય.” આમ વિચારીને એકદા તેણે રાજપુત્રને લાગ જોઈને ઘરના ભેરામાં સંતાડી દીધા. ભજનસમયે રાજાએ કુમારને શેઠે પણ તેને પત્તો લાગે નહીં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy