SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭). જેની સાથે લાંબો કાળ વસે છે તે તેના જેવા થાય છે. કુસુમની સાથે લાંબે વખત રહેવાથી તલ પણ સુગંધી થાય છે. વળી આંબાના ને લીંબડાના મૂળ જમીનમાં એકઠા થયા ત્યાં લાંબા વખતના સંસર્ગથી વિનષ્ટ થઈને આંબે લીંબડાપણાને પામી ગયે.” દિવાકરે પિતાની શિખામણ માન્ય કરી. તરતમાં તેને પુરોહિતપણું મળ્યું, પણ કેટલેક દિવસે તે રથાનથી ટ્યુત થયા, તેથી કઈ ગામડામાં જઈને કઈ વૃદ્ધ ઠાકરની સેવા કરવા લાગે. તેના સેવક પિંગળની સાથે મિત્રાઈ થઈ. પછી તેની પી મિત્રસેના સાથે પણ સનેહ થતાં રાજા વિગેરેને પ્રસન્ન કરવા લાગે. અન્યદા રાજાએ સમાનરવ્યસનેષુ સર્ષ એ શું પાદ કરીને કહ્યું કે જે આ સમશ્યા પૂરશે-બકીના ત્રણ પદને તેને અનુસરતા બનાવી આપશે તેને વર આપવામાં આવશે.” આ પ્રમાણે સાંભળીને દિવાકરે તે સમશ્યા નીચે પ્રમાણે પૂરી. मृगा मृगैः संगमनुव्रजन्ति, गावश्व गोभिस्तुरगास्तुरंगैः । .. मूर्खाश्च मूखैः सुधियः सुधीभिः, समानशीलव्यसनेषु सख्यं ॥ મૃગ મૃગની સાથે સંગત કરે છે, ગાય ગાયની સાથે અને ઘોડા ઘોડાની સાથે સંગત કરે છે, તેમજ મૂર્ખ મૂખની સાથે અને બુદ્ધિમાને બુદ્ધિમાનની સાથે મિત્રાઈ કરે છે. અર્થાત્ સરખા આચારવાળા તેમજ સરખા વ્યસનવાળાને વિષેજ મૈત્રી થાય છે. ” - તે સાંભળીને પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! તને શું આપું?” એટલે દિવાકરે કહ્યું કે-મારું દારિદ્રથ દૂર કરે.” રાજાએ તેને ૭૫૦ ગામ આપ્યા. ત્યારપછી એક વખત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy