SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) જીર્ણોદ્ધારની ચિંતા કર્યા પછી શ્રાવક બીજી પણ તેવા પ્રકારની શુભ ચિંતા કરે તે કહે છે–દેવગૃહના ભંડાર સંબંધી, તેના આયવ્યય સંબંધી, તેના રક્ષણ સંબંધી વિગેરે ચિંતા કરેવિચાર કરે. વળી દેવાચક–પૂજારી વિગેરે અલ્પ આજીવિકાના કારણથી દુઃખી થતા હોય તે તેને પણ વિચાર કરી આજીવિકા વધારી આપે. ૧૧૧. આ પ્રમાણે દેવદ્રવ્ય સંબંધી અથવા ચૈત્યસંબંધી ચિંતા કરતાં–તે સંબંધી કામકાજ કરતાં ચૈત્યદ્રવ્યને વિનાશ પણ થઈ જાય તેને માટે ચાર ગાથાવડે કહે છે જે પ્રાણ દેવદ્રવ્યને–તેના ઉપગરણાદિકને વિનાશ કરેભક્ષણ કરે અથવા અન્યથી ખવાઈ જતાં તેની ઉપેક્ષા કરે અને અંગઉદ્ધાર આપવાનું નિવારણ ન કરે તે તે પ્રાણ બુદ્ધિહીન થાય છે અને પાપકર્મથી લેવાય છે. જે મનુષ્ય દેવદ્રવ્ય ખાય છે કે તેની ઉપેક્ષા કરે છે તેણે જૈનધર્મ કે જિનાગમ જાણેલજ નથી એમ સમજવું. અથવા તેણે પૂર્વે નરકાયુષ્ય બાંધેલું છે એમ સમજવું. તે જીવ નરકમાંથી નીકળ્યા પછી પણ મનુષ્યપણામાં દરિદ્રતાથી મૂકાત નથી-દરિદ્રીજ થાય છે. જુઓ પૂર્વે ગંધિલાવતીમાં સંકાશ નામે શ્રાવક થયે હત, તે સ્વભાવથીજ ભવવૈરાગ્યવાળ હતું. તેણે કાવતાર ચૈત્યમાં રહી ગૃહવ્યાક્ષેપાદિ કારણે ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કર્યો તેથી તે દેવદ્રવ્યને ઉપજીવી થઈ પ્રમાદથી અજ્ઞાન, સંશય, વિપર્યાસ વિગેરેને આવ્યા પડિકમ્યા સિવાય મરણ પામીને દુર્ગતિએ ગયે અને સંસારમાં પરિભ્રમણ કર્યું. ત્યાં અનેક ભવમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy