SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ શેઠ કે સાર્થવાહના પુત્ર થશે. ૧૦૪-૫. તેઓ અનેક પ્રકારની કળાઓમાં કુશળ થશે. વિશુદ્ધ માતાપિતાના પક્ષવાળા કુલીન થશે. સર્વદા સ્વપર હિતકારી-સર્વને અનુકૂળ થશે, સરલ થશે, સુશીલ એટલે અપકારી ઉપર પણ ઉપકાર કરનારા થશે. સદૈવ મનુષ્ય, દેવે, અસુર અને દેવાંગનાઓના મન તેમજ લેચનને આનંદકારી થશે. ૧૦૬. ચંદ્ર જેવા સૌમ્ય થશે, સૂર્ય જેવા તેજવંતપ્રતાપી થશે, કામદેવ જેવા સ્વરૂપવાળા થશે, ભરતચકીની જેવા લેકેને ઈષ્ટ થશે, કલ્પવૃક્ષની જેવા અથવા ચિંતામણિ રત્ન જેવા વાંચ્છિતને પૂરનારા થશે. એવા જીર્ણોદ્ધાર કરનારની ચકવતી તેમજ વાસુદેવે પણ સ્તુતિ કરશે, લેકો તેની પૂજા કશે. પ્રાંતે તેઓ શ્રેષ્ઠ એવા ભેગને તજી દઈને નિષ્કલંક ચારિત્રને ધારણ કરશે અને યથાખ્યાત ચારિત્રના બળથી સર્વ કર્મરાશિને ખપાવીને સિદ્ધિપદને પામશે–મેક્ષે જશે. ૧૦૭-૮-૯ આ પ્રમાણે જીર્ણોદ્ધાર સર્વ તીર્થકરેએ સર્વ પ્રકારના દિવ્યસ્તવમાં શ્રેષ્ઠ તરીકે ઉપદિશ્ય છે. આ પ્રવચનમાં મેક્ષના અવંધ્યકારણ જ્ઞાન દર્શન ને ચારિત્ર છે. જીર્ણોદ્ધાર તે ત્રણેના લાભનું આ ભવમાં પ્રબળ કારણ છે. શ્રીમાન મલ્લીનાથસ્વામીના જિનાયતનને ઉદ્ધાર કરનાર પુરિમતાલ નગરવાસી વાગુરૂશ્રેણી વિગેરે તથાવિધ સંહનાનાદિના અભાવથી તે ભવમાં સિદ્ધિપદને ન પામ્યા, પરંતુ દેવસંપદા પામીને મનુષ્ય થઈ ચતિ જનની કરેલી સદેશના સાંભળી જ્ઞાન દર્શન અને ચારિત્રને તે નિર્મળ આશયવાળા ગ્રહણ કરે છે. કેઈ દેશવિરતિ અંગીકાર કરે છે, પરંતુ પરિણામે જીર્ણોદ્ધારકારક શિવશ્રીનું ભાજન . અવશ્ય થાય છે. ૧૧૦. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy