SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) સુધા તૃષાથી પરાભવવાળા અનેક ભવે કર્યા. તેમાં પણ અસિકુતાદિવડે છેદન થવું, ગાડી વિગેરેનું વહન કરવું, મુગરાદિવડે કુટાવું-એવી અનેક પ્રકારની પીડા પાપે. ૧૧૩ થી ૧૧૭. વળી દરિદ્રીના કુળમાં ઉત્પત્તિ, અને દારિદ્રય બહુવાર સહન કર્યા. મનુષ્યજન્મમાં બહુ જાથી ધિક્કાર પણ બહુ પામે. અનુક્રમે તારા નામની નગરીમાં એક શેઠને પુત્ર થયું. ત્યાં પણ પૂર્વકમ લાભાંતરાયાદિ શેષ રહેલું હોવાથી દરિદ્રપણું પામ્યું. અને વારંવાર ચિત્તને નિર્વેદ થાય તેવા કારણે મળ્યા. પુષ્યને કેવળી ભગવંત મળ્યા. તેમને તેણે પૂછયું કે-“હે ભગવંત! મેં ભવાંતરમાં શું પાપ કરેલ છે કે જેથી હું નિરંતર મનેરથની અપૂત્તિવાળેજ થાઉં છું ?” કેવળીએ તેના ઉત્તરમાં સંકાશાદિ ભવગ્રહણને અધિકાર કહ્યો અને ઉપદેશ આપ્યો, તેથી તેને જિનધર્મની પ્રાપ્તિ થઈ, સવેગ ઉત્પન્ન થયે. પછી ફરીને પૂછ્યું કે-“મેં ચૈત્યદ્રવ્યના વિનાશરૂપ અપરાધ કર્યો છે. તેના નિવારણ માટે અત્યારે મારે શું કરવા એગ્ય છે? કેવળીએ કહ્યું કે- જિનભવન, જિનબિંબ, તીર્થયાત્રા, પૂજાસ્નાત્રાદિ પ્રવૃત્તિ કરીને તે નિમિત્તે દેવદ્રવ્યમાં હિરણ્યાદિકની વૃદ્ધિ કરવી. એ તારે કરવા યોગ્ય છે. ” તે સાંભળી સકાશના જવે અભિગ્રહ કર્યો કે- આજ પછી મને જે દ્રવ્યની પ્રાપ્તિ થાય તેમાંથી માત્ર મારે અન્ન વસ્ત્ર માટે જોઈએ તે લેવું, બીજું જે વધે તે બધું ચૈત્યદ્રવ્ય તરીકે ગણવું. તેમાંજ આપી દેવું–મારે ભોગવવું નહીં.” આ યાવેજછવ અભિગ્રહ કર્યો. ૧૧૮- ૧૨૧. આ પ્રમાણે તેના મહાભિગ્રહથી, શુભ ભાવની પ્રવૃત્તિથી તેમજ ચૈત્યદ્રવ્ય આપવાની તીવ્ર ઈચ્છાને લઈને વિશિષ્ટ અધ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy