SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) બીજે દિવસે દક્ષિણ દિશાએ સાક્ષાત વિષણનું રૂપ ધારણ કર્યું. એટલેતેને માનનારા સંખ્યાબંધ લેકે આવ્યા, તેની પાસે તેને ધર્મ કહ્યો. ત્રીજે દિવસે પશ્ચિમ દિશાએ સાક્ષાત્ શંકરનું રૂપ ધારણ કર્યું તેના ભક્તો આવ્યા. તેની પાસે તેને ધર્મ કહ્યો. ચોથે દિવસે ઉત્તર દિશામાં સમવસરણની રચના કરી તીર્થકરનું રૂપ ધારણ કરી ચતુમુખે ચાર પ્રકારને ધર્મ કહ્યો. એમાં ઘણા જૈને આવ્યા પણ સુલસા આવી નહીં. તેને બેલાવવા માણસ મોકલ્યું, છતાં તેણે કહ્યું કે-“મહાવીર પરમાત્મા પધાર્યા હોય તે મારું હૃદય વિકસ્વર થાય, તે થતું નથી, એટલે ‘આ કેઈ કૃત્રિમ રચના લાગે છે” તેથી નહીં આવું.” આ પ્રમાણે તેના સમકિતની દઢતા જોઈને આંબડે પ્રસન્ન થઈ સર્વ રચના સંહરી લીધી અને સુલસાને ઘરે ગયે. ત્યાં જઈને સુલસાને ગૃહચિત્યમાં રહેલા જિનેશ્વરને વંદના કરી. પછી સુલસા પાસે જઈને તેણે પ્રભુના કહ્યા પ્રમાણે તેની ધર્મપ્રવૃત્તિ પૂછી, એટલે સુલાસાએ વિરપ્રભુને વંદન કર્યું. અબડે પૂછ્યું કે “હમણ ત્રણ દિવસ સુધી બ્રહ્મા, વિષ્ણુને મહેશ્વર સાક્ષાત્ અહીં પ્રગટ થયા હતા, તેને ધર્મ કહ્યો હતે, તે સાંભળવા તમે કેમ ન ગયા?” સુલસા બેલી કે-“વીતરાગ, ગતષ, સર્વજ્ઞ એવા પરમાત્માને દીઠા પછી બીજા હરિહરાદિ દેવને જેવા કેણ ઉત્સાહ ધરે ? આ પ્રમાણે તેને દઢમતવાળી જેઈને અંબડ પણ ધર્મમાં દઢ થયે પછી જૈનધર્મની ઉન્નતિ કરીને તે અનુક્રમે સ્વર્ગે ગયે. તે આગામી વીશીમાં પંદરમા તીર્થંકર થશે. અભયકુમારની કથા શ્રેણિકચરિત્રાદિથી જાણવી. ટુંકામાં અભયકુમારે વીરપ્રભુને પૂછયું કે છેલ્લા રાજર્ષિ કણ થશે?” Jain Educationa International nal For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy