SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭ ) સમકક્ષામાં જતું હોવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વથી ચાર ગતિના અનુભવરૂપ સંસાર પ્રાપ્ત થાય છે, અને ભવોદધિમાં પડેલા છ જન્મ જરા મરણાદિ દુખસમૂહને પામે છે–તેમાં પરિભ્રમણ કર્યા કરે છે. ૫. તે કારણ માટે જ્ઞાતતત્વ એવા અને પરમાર્થને જાણનારા સુજ્ઞ મનુષ્ય સદુપાયમાં પ્રવૃત્ત રહેવું અને સૂત્રાર્થને અભ્યાસ કરીને અથવા પૂછીને જેમ અભયકુમાર ને અંબડ વિગેરે નિશંક થયા તેમ નિઃશંક થવું. અબડને પ્રબંધ આ પ્રમાણે – એકદા મહાવીર પરમાત્મા વિહાર કરતાં કરતાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નગલેકની સાથે સંબડ નામને પરિવ્રાજક પણ આવ્યું. તે વીરપરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈને ઉપદેશ સાંભળવા બેઠે. ઉપદેશ સાંભળ્યા પછી રાજગૃહનગરે જવાનો તેનો વિચાર જાણીને ત્યાં નાગ સારથિની સ્ત્રી સુલસાને મારી તરફથી ધર્મપ્રવૃત્તિ પૂછજે” એમ પ્રભુએ કહ્યું. તે સાંભળીને અંબડને ભગવંતના વીતરાગપણામાં શંકા આવી. એટલે આકાશમાર્ગે રાજગૃહે આવીને સુલસાની પરીક્ષા કરવા માટે તેને ઘરે ભિક્ષાચરરૂપે પ્રવેશ કર્યો. તેને જોઈને સુલસાએ કહ્યું કે-“હું મારે હાથે તે પાંચ મહાવ્રતધારી શીયળવાન મુનિરાજનેજ દાન આપું છું, બીજાને આપતી નથી. ”એટલે અબડ ભિક્ષા લીધા વિના નીકળી ગયે. પછી તેણે સુલસાની પરીક્ષા કરવા માટે પૂર્વ દિશાને દરવાજે બરાબર બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. એટલે બ્રહ્માને માનનારાઓ ત્યાં આવ્યા. તેમની પાસે બ્રહ્માએ કહેલો ધર્મ કહ્યો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy