SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) અનુક્રમે મહાસુખકારી અક્ષય સુખને મેળવે છે. આ વાતની પુષ્ટિમાં કહે છે – સર્વજ્ઞના મતમાં ક્ષમા વિગેરે જેટલા ગુણની પ્રાપ્તિ આ સંસારમાં જીવને થાય છે તે બધી બધિબીજરૂપ જિનધર્મની પ્રાપ્તિના ફળરૂપજ હોય છે.” ૪૬. અહીં દષ્ટાંત કહે છે – કૌશાંબી નગરીમાં ધન અને યક્ષ નામના શ્રેષ્ઠીને ધમપાળ ને વસ્તુપાળ નામના પુત્ર થયા. લોકેમાં તે બને એક સરખી રૂચિવાળા હોવાથી એક મનવાળા કહેવાણ-પ્રસિદ્ધ થયા. અન્યદા તે બંને વર પરમાત્માના સમવસરણમાં ગયા. ત્યાં ભગવંતની દેશના સાંભળીને ધર્મ પાળે ધમની શ્રદ્ધા કરી ત્યારે વસ્તુપાળને પ્રભુના વચનપર શ્રદ્ધા ન આવી. પછી ઘરે જતાં તે બંનેને પરસ્પર ઘણે સંવાદ થયે, પણ વસ્તુપાળ સમજે નહીં. પછી બીજે દિવસે ધમંપાળે એકલા પ્રભુ પાસે જઈને તેનું કારણ પૂછયું. એટલે પ્રભુએ કહ્યું કે-“પૂર્વભવે શાલિગ્રામમાં એક દરિદ્રી કણબીના તમે બંને પુત્ર હતા. નિર્ધન હોવાથી ભેગસામગ્રી બીલકુલ ન પામ્યા એટલે ધનની પ્રાપ્તિ માટે ચોરી કરવા લાગ્યા. અન્યદા કેટવાળ તમારી પાછળ પડતાં તમે બંને ત્રાસ પામીને ભાગ્યા. અરણ્યમાં જતાં આતાપનામાં તત્પર એવા એક મુનિને દીઠા. તેમને જોઈને એકે તેમના ગુણની પ્રશંશા કરી તેથી તે સમકિત પામે અને બીજો પ્રશંસા ન કરવાથી મિથ્યાત્વીજ રહ્યો. તે બંને તમે આ ભવમાં પણ મનુષ્ય થયા છે પરંતુ પૂર્વભવના કારણથી આ ભવમાં પણ તમારામાં શ્રદ્ધાવાન અને શ્રદ્ધહીન એ વિભાગ પડ્યો છે.' ઇતિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy