SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( 13 ) વિનાના સારાં વસ્ત્ર ધારણ કરે, અષ્ટપુટ મુખકેશ બાંધી મુખ ને નાસિકાના શ્વાસને રેકે પછી મહસ્ત (મેરપીંછ)વડે ગૃહચૈત્યમાં રહેલા જિનબિંબને પ્રમાજે. ૨૩-૨૪. અહીં જિનપૂજા કરતાં જે કે ષકાયનું ઉપમર્દન કરવારૂપ કંઈક જીવવિરાધના લાગે છે, પરંતુ કુવાના ઉદાહરણવડે શ્રાવકે દ્રવ્યસ્તવ કરવું ઉચિત છે. “જેમ કુ દતાં શરીર મલીન થાય, પ્રસ્વેદ અને શ્રમ થાય, તૃષા લાગે, પરંતુ તેમાંથી જળ નીકળતાં તે જળને ઉપગ કરવાથી મલીનપણું દૂર થાય છે, ખેદ ને શ્રમ પણ સ્નાનાદિવડે દૂર થાય છે અને જળપાન કરવાથી તૃષા છીપે છે તે રીતે દ્રવ્યરત કરતાં લાગેલી છવવિરાધના તે વ્યસ્તવ ભાવપૂર્વક કરવાથી તેમજ ભાવસ્તિવથી દૂર થાય છે અને પરમ લાભની પ્રાપ્તિ થાય છે. ' હવે પૂજા કરવાને વિધિ કહે છે. સુગંધી જળવડે પ્રભુને સ્નાન કરાવી, સુકેમળ વસ્ત્રવડે જિનબિંબને નિર્જળ કરી, શૈલેયબાંધવ એવા જિનેશ્વરની ગશીર્ષચંદનાદિ ઉત્તમ વસ્તુવડે નવાંગ પૂજા તેમજ વિલેપનાદિ કરે. પછી સુગંધી તાજાં કુલ ચડાવે. કૃષ્ણગુરૂ વિગેરે સુંગધી પદાર્થોથી ધૂપ કરે. પછી અખંડ તંદુળદિવડે સ્વસ્તિકાદિ કરી તેની ઉપર ઉત્તમ જાતિના ફળ મૂકે તેમજ ઉત્તમ નૈવેદ્ય ધરે અને એક જળપાત્ર પણ ભરીને મૂકે. ૨૫-૨૬. ઉપર પ્રમાણે શુભ દ્રવ્યથી શુભ ભાવપૂર્વક જિનપૂજા કરવાનું ફળ જિનશાસનમાં દેવેંદ્ર, ચક્રવર્તી અને તીર્થકરપણની પ્રાપ્તિરૂપ કહેલું છે. જૈનશાસ્ત્રમાં અનેક સ્થાને તે ફળ કહેલ છે. ર૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy