SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આ મંત્રને પાઠ કરવાથી આ ભવમાં ને પરભવમાં જેને ફળની પ્રાપ્તિ થયેલી છે તેના દષ્ટાંતે કહે છે – - પાઠક જનને આશ્રયીને આ લેકમાં ત્રિરંદ્ર નામના શ્રાવકનું, દેવસાંનિધ્યવાળી શ્રાવકસુતાનું અને બીજેરાના વનથી ઓળખાતા શ્રાવકનું-એમ ત્રણ દષ્ટાંતે જાણવા અને પરલોક આશ્રી ચંડપિંગળનું અને હુંડિકયક્ષનું-એમ બે દષ્ટાંતે જાણવા. આ ગાથાના સમુદાયાર્થી તરીકે સર્વ ઉદાહરણો પુલિંક્રમિથુન(ભીલ ભીલડી)ના દષ્ટાંતથી જાણવા. ૧૮. અહીં પ્રથમ દ્વાર પૂર્ણ થયું. હવે બીજું દ્વાર–“હું કરું છું?' ઇત્યાદિ વિચારણા કરવારૂપ કહે છે – સુણાવસ્થામાં ભૂલી જવાતું હેવાથી જાગૃત થાય એટલે શ્રાવક દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવાદિને પ્રથમ વિચાર કરે. તે આ પ્રમાણેદ્રવ્યથી હું યતિ છું કે ગૃહી છું? ક્ષેત્રથી હું આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છું અને અમુક દેશમાં અમુક નગરમાં અમુક સ્થળે અત્યારે છું. કાળથી રાત્રી માત્ર ૪ ઘી રહી છે, સવાર થવા આવી છે. ભાવથી હું કયા ઉગ્રાદિ કુળમાં ઉત્પન્ન થયો છું ? અથવા ભાવથી એમ વિચારે કે હું સમ્યગદષ્ટિ ને વ્રત નિયમધારી છું કે હું માત્ર સમક્તિવાળો છું વ્રત નિયમ કાંઈ લીધા નથી. અહીં વ્રત તે મૂળગુણ ને નિયમ તે ઉત્તરગુણ સમજવા. " હવે સમકિતની શ્રેષ્ઠતા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy