SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૫ ) તે. ભય ને હાસ્યવડે પણ અસત્ય ખેલાય છે, તેને આમાં અંતર્ભાવ કરવા. આવા અસત્યને પણ જેમને ત્રિવિધેત્રિવિધે ત્યાગ છે એવા બીજા મહાવ્રતના ધારક. તથા અદત્તનું ગ્રહણ નહીં કરનારા. તે અદત્ત ચાર પ્રકારે– ૧ સ્વામી અદત્ત-જે વસ્તુ લેવાની તેના સ્વામીએ આજ્ઞા આપી ન હેાય તે લેવી. ૨ જીવ અન્નત્ત-સચિત્ત વસ્તુના ઉપયાગ કરવા. ૩ તીર્થંકર અદત્ત-અનેષણીય આહારાદિ ગ્રહણ કરવા તે. ૪ ગુરૂ અદત્ત-ગુરૂને નિવેદન કર્યાં શિવાય અન્નાદિ વાપરવું તે. આ અદત્ત પણ ચાર પ્રકારે-૧ દ્રવ્યથી ગ્રહણ ધારણ કરવા ચેાગ્ય દ્રવ્ય, ક્ષેત્રથી ગ્રામાદિકમાં, કાળથી દિવસે કે રાત્રીએ અને ભાવથી રાગદ્વેષાદિકે ગ્રહણ કરવું તે. આ ચારે પ્રકારે ચારે પ્રકારના અદત્તના ત્યાગ કરનાર હાવાથી ત્રીજા મહાવ્રતના ધારક. હવે ચાથા વ્રત આશ્રી કહે છે-નવ બ્રહ્મચર્યંની ગુપ્તિ સહિત ચતુર્થાં વ્રત આદરનાર. તેમાં બ્રહ્મના ૧૮ પ્રકાર છે. દેવસબંધી કામતિના સુખને ત્રિવિધે ત્રિવિધ તજે તેમજ ઓદારિક કામરતિના સુખને પણ ત્રિવિષે ત્રિવિધે તજે, એ એના નવ પ્રકાર મળીને ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય સમજવું. તે દ્રવ્યથી રૂપમાં ને રૂપસહિતમાં. રૂપ તે નિર્જીવ પ્રતિમા કે ચિત્ર સ્ત્રીનુ હોય તે અથવા આભૂષણ રહિત સ્ત્રીનું શરીર, અને રૂપસહગત એટલે સજીવ શ્રી કે પુરૂષનું આભૂષણયુક્ત શરીર તે, ક્ષેત્રથી ત્રણે લેાકમાં, કાળથી દિવસે કે રાત્રે, ભાવથી મન વચન કાયાવડે ત્યાગ કરવા તે. હવે બ્રહ્મચર્યની નવ ગુપ્તિ (વાડ) કહે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy