SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ૧ બ્રહ્મચર્ય પાળવામાં તત્પર એવા પુરૂષે સ્રી પશુ કે નપુંસકથી સ ંસક્ત વસતિમાં ન રહેવું. રહેવાથી બધાના સંભવ છે. ૨ એકાકી સ્ત્રીની સાથે ધદેશનારૂપ વચનવ્યાપાર પણ ન કરવા. અથવા સ્ત્રીની જાતિવિગેરેની કથા ન કરવી. ૩ સ્ક્રીની સાથે એક આસનપર બેસવું નહીં. તેણે બેસીને તજી દીધેલા આસન ઉપર પણ અતહૃત્ત સુધી ન બેસવું. કેમકે તેનુ ભાગવેલું આસન પણ ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરવાના હેતુભૂત છે. કહ્યું છે કે-યતિએ સ્ત્રીથી સેવાયેલ શયનાસન તેના સ્પદોષના કારણથી તજવું. કારણ કે જેમ ૨પ ના કારણથી કુષ્ટના વ્યાધિની અસર થાય છે તેમ તેની પણ અસર થાય છે. ૪ સ્ત્રીની ઈંદ્રિ નયનનાસિકાદિ મનેહર જાણીને જોવા નહીં. તેનુ દન પણ મેહેાદયના હેતુભૂત છે. કહ્યું છે કે-ચિત્રમાં આળેખેલી સ્ત્રી પણ મનુષ્યને મેહ પમાડે છે તે પછી સ્મિત અને વિભ્રમાદિયુક્ત સ્રીને જોવાથી મેહ ઉત્પન્ન થાય તેમાં શી નવાઈ ? ૫ ભીંતને આંતરે સ્ત્રી રહેતી હોય તે ત્યાં પણ ન રહેવું. કેમકે તેના આભૂષણાદિના સ્વર વિગેરે પણ મેહ ઉત્પન્ન કરે છે. ૬ પૂર્વે ગૃહસ્થપણામાં સ્ત્રીસેવનાદિ કરેલ હોય તે સંભારવું નહીં. છ સ્નિગ્ધ આહાર કરવા નહીં. કેમકે તે ધાતુને પુષ્ટ કરી વિકાર ઉત્પન્ન કરે છે. ૮ અતિમાત્ર આહાર કરવા નહીં. એટલે શરીરના–ઉદરના આઠ ભાગ કલ્પી અન્નપાનવડે છ ભાગ પૂરવા, બે ભાગ તા કાયમ પવનના પ્રચાર માટે ખાલી રાખવા. ૯ શરીરની વિભૂષા ન કરવી. તે પણ સ્વપર ચિત્તને વિકારના હેતુભૂત થાય છે. આ પ્રમાણે નવ બ્રહ્મગુપ્તિ સહિત ચતુર્થ મહાવ્રતના ધારક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy