SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) વિશેષાર્થ –લાખે છવાયેનિમાં પરિભ્રમણ કરવાવડે આ સંસારસમુદ્રને કીનારે પામ મુશ્કેલ છે. ચાર ગતિરૂપ જે સંસાર તેમાં પ્રચુર. જન્મ જરા મરણાદિ જળ ભરેલું હોવાથી તે સમુદ્ર કહેવાય છે. તેમાં કાંઈક કર્મની લઘુતા થવાથી ત્રસત્યાદિ પામે ત્યારે જીવ ઉંચા આવે અને વળી તથવિધ ગુરૂતા થાય ત્યારે સ્થાવરાદિપણું પામે એટલે નીચે જય. આમ વિશિષ્ટ ચૈતન્યલક્ષણ છવપણાથી બૂડત ને ઉંચે આવતે નરકતિર્યંચાદિના ભાવમાં અનેક પ્રકારની અસાતાને અનુભવતે ચેલ્લકાદિ દશ દષ્ટાંત જે પૂર્વે બતાવી ગયા છીએ તેની જે અતિ વિષમપણે પ્રાપ્ત કરી. શકાય એ આ પ્રત્યક્ષ મનુષ્યભવ તે જન્મદરિદ્રી મનુષ્ય. જેમ નિધાનને મેળવે તેમ મેળવેલ છે. હવે તેમાં પણ આર્યદેશાદિની પ્રાપ્તિ મુશ્કેલ છે તે બતાવે છે. મનુષ્યભવ પામ્યા છતાં પણ દેશ, કુળ, જાતિ, રૂપ, આરોગ્ય સંપત્તિ, વિજ્ઞાન અને સમ્યકત્વ–આટલા વાનાં આ ભવ રૂપી ચારક-બંદીખાનામાં પામવા દુર્લભ છે. ર૭૬. વિશેષાર્થ–મનુષ્યપણું પામ્યા પછી માગધાદિ (૨) આદેશમાં ઉત્પન્ન થવું મુશ્કેલ છે અને આર્યદેશમાં ઉત્પન્ન થયેલ હોય તેજ ધર્મસાધનને યોગ્ય થઈ શકે છે. તેમાં પણ ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિ જે માતા પિતા સંબંધી જુદા જુદા ગણવામાં આવે છે તે પામવા દુર્લભ છે. તેવા કુળે સદાચારવાળા હોય છે અને ઉત્તમ જાતિવાનું કષ્ટમાં પણ વિકાર પામતા નથી. તથા રૂપ એટલે સ્પષ્ટ પંચેંદ્રિયપણું પામવું દુર્લભ છે. રૂપવાનુ પણ જે જવરાદિ રેગથી પરાભૂત હોય તો વિશિષ્ટ પ્રકારે ધર્મ આરાધના કરી શકતો નથી. તેથી આરોગ્ય સંપદા પામવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy