SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૬) શુદ્ધસારી રીતે ગળેલું જળ ગ્રહણ કરવું. કાષ્ટ ને ધાન્યાદિ પણ શુદ્ધ-નિજીવ ગ્રહણ કરવા. ગ્રહણ કર્યા પછી પણ ત્રસજની રક્ષાને અર્થે તેને વિધિપૂર્વક પરિગ કર.” . - આ જયણાનું ફળ કહે છે બહુ આરંભને કારણભૂત ગ્રહવાસમાં પણ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી, જેથી સદ્દગતિની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-અવિરાધિત શ્રમણપણાવાળા સાધુની તેમજ તેવા શ્રાવકની ગતિ જઘન્ય પણ સૌધર્મ દેવલેકમાં ત્રિલેકદર્શી પરમાત્માએ કહેલી છે.” હવે વ્યતિરેકથી કહે છે કે-“સુહુ પ્રકારે તપાદિ કરતે સતે પણ જજે જ્યણરહિત હોય તે તે સિદ્ધિને પામતે નથી અને સુસઢની જેમ દુઃખને પામે છે, તે તપરહિત છવ દુઃખ પામે તેમાં તે શું નવાઈ ? ૨૬૯. - આ પ્રમાણે શ્રાવકને ધર્મ કર્તા કહે છે કે-મેં તમને સંક્ષેપથી કહ્યો, હવે શ્રાવકે જે નવા નવા અભિગ્રહ કરવા રોગ્ય છે તે કહું છું. તે તમે સાંભળો. ર૭૦. શ્રાવકે ત્રિકાળ-સૂર્યોદયે, મધ્યાન્હ અને અતિસમયે ચૈત્યવંદન પ્રભાવપૂજારૂપ કરવા, નમસ્કારસહિતાદિ પ્રત્યાખ્યાન કરવું, પૂર્વે ભણે સંભારવું ને નવું થોડું થોડું પણ જરૂર ભણવું. વળી વધારે સાંભળવાને વખત ન મળે તે ગાથા, અર્ધ ગાથા પણ ગુરૂમુખે સાંભળવી. કારણ કે તે વિશિષ્ટ ફળના હેતુ ભૂત છે. પિતાના કલ્યાણ વિગેરેની વાત ધર્મ સાંભળનારજ જાણી શકે છે. વળી દરેજ અમુક સંખ્યામાં નવકાર ગણવા અથવા અમુક સંખ્યાની ગાથાઓને સ્વાધ્યાય કરે.(ગાથાઓ ગણું જવી) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy