SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૩) પૂછીને સામાયિક પારી પિતાને ઘરે જાય અને ઘરે જઈ પરિરૂ વારને એકત્ર કરીને ધર્મદેશના આપે. ૨૪૪. કેની પાસે ધર્મદેશના આપે ? તે કહે છે – ભાર્યા, પુત્ર, પૌત્ર, પુત્રીઓ, વહુરૂઓ, બંધુવર્ગ, સેવક, મિત્રે, પેખે (બહાર મોકલવાના નેકરે)--એ સર્વ આરંભમાં પ્રવૃત્તિવાળા હોય. તેઓ સર્વજ્ઞકથિત ધર્મ ઉપાશ્રયાદિકમાં મુનિરાજ પાસે જઈને સાંભળી ન શકે, તેથી પોતે ઘરે આવીને તેમને ધર્મ સંબંધી ઉપદેશ સંભળાવે ૨૪૫-૪૬. ઉપરની ગાથામાં જણાવેલા સ્ત્રી પુત્ર પરિવારાદિ આરંભાદિ કાર્યમાં–પૃથ્વીકાયાદિકના ઉપમઈનમાં, સાર્થકમાં અને અનર્થકમાં અહર્નિશ તત્પર–આસક્ત હોય. તેમાં ચતના પણ કરતા હોય કે ન હોય. તેઓ જે જીવદયાપ્રધાન સર્વપ્રણીત ધર્મ ન સાંભળે તો તેને પ્રમાદ વૃદ્ધિ પામ્યા કરે અને ગાઢ પ્રમાદવાળા થવાથી ક્ષણમાત્ર પણ ધર્મ સાંભળવા જઈ શકે નહીં, તેથી તેને સમકિતમૂળ શ્રાવક ધર્મ એગ્યતા પ્રમાણે સંભળાવે– સમજાવે. વિશેષ કરીને સર્વત્ર યણ પાળવાને ઉપદેશ આપે. આ પ્રમાણે કરવાથી તેઓ કાંઈક ધર્મ પાળવામાં તત્પર થાય, જયણ પાળતા થાય, ધર્મશ્રવણ કરવાની ઈચ્છાવાળા થાય, માટે શ્રાવક ઘરે જઈને જરૂર તેઓને એકઠા કરી ધર્મ સંભળાવે. અહીં કઈ પૂછે કે-જે શ્રાવક તે પ્રમાણે ઉપદેશ ના આપે તે તેને શું દોષ લાગે?” તેના ઉત્તરમાં કહે છે કે – “શ્રાવક સર્વજ્ઞપ્રણત ધર્મ જે પિતાના સ્ત્રી-પુત્રાદિકને ન સંભળાવે–ને સમજાવે તે આ લેકમાં ને પરલેકમાં તેના દોષવડે લિપ્ત થાય-લેપાય. ર૪૭. અર્થાત આ લોકમાં તે બધા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy