SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦). તે વાત્સલ્ય કહીએ. એવું સાધમિક વાત્સલ્ય શ્રાવકે “ભક્તિથી નિર્ભરપણે બહુમાનપૂર્વક જરૂર કરવું. એમ સર્વદર્શી પરમાત્માએ કહ્યું છે. કારણ કે-એથી શાસનની પ્રભાવના થાય છે. ૨૦૦. " આ હકીકત દષ્ટાંતપુરઃસર કહેવામાં આવે છે – ક્ષીરાશવાદિ મહાલબ્ધિના પ્રભાવયુક્ત અને અક્ષુબ્ધ તથા અલુબ્ધત્વાદિ ગુણગણ સંયુક્ત તેમજ શ્રુતસાગર–દશ પૂર્વરૂપી. પયના સમુદ્ર એવા શ્રી વાસ્વામીએ કહ્યું છે કે-“સ્વામિથ્થળને વિષે જરૂર ઉદ્યમ કરે.” આવા અહંત વચનનું સ્મરણ કરતા એવા તેજ મહાત્માએ શ્રીસંઘને દુભિક્ષાદિ આપત્તિમાંથી ઉદ્ધાર કરવાવડે તેમનું વાત્સલ્ય કરેલું છે. ૨૦૧. આ પ્રમાણે સાધર્મિકવાત્સલ્યની આવશ્યક્તાનું સ્થાપન કરીને તે કેવી રીતે કરવું ? તેને માટે કહે છે તે કારણ માટે શ્રાવકે માત્ર નમસ્કાર મંત્રને ધારણ કરનાર શ્રાવકને પણ પિતાના પરમ બાંધવરૂપ ગણવે. ૨૦૨.' આ પ્રમાણે સમજીને શ્રાવકે વિવાદ, કલહ અને શ્રેષાદિ સર્વ પ્રકાર સાધર્મિક સાથે વર્જવા-કદી પણ ન કરવા. શ્રાવક જો કે અન્યની સાથે પણ વિવાદ કલહાદિ ન કરે તે સાધર્મની સાથે તે કેમ જ કરે ? ૨૦૩. આમાં વિવાદ શબ્દ રાજદરબારે અથવા કેટે ચડવું તે વર્જવાનું કહ્યું છે. જે શ્રાવક સહધમી એવા શ્રાવકને પ્રહારદિવડે હણે છે, તે ત્રિલેકબંધુ-પરમાત્માની આશાતના–તેમના વચનનું ઉલ્લંઘન કરવાવડે કરે છે એમ સમજવું. ૨૦૪. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy