SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૯) સુખ પામે છે, દીર્ધ આયુષ્ય પામે છે, તેનું અપમૃત્યુ થતું નથી, તે સમકિતદષ્ટિ થાય છે, કે તેનું વચન ગ્રહણ કરે એ આદેય નામકર્મવાળે થાય છે અને વિશાળ લક્ષ્મીયુક્ત મહાત્મા બને છે. ૧૫. પૂર્વે સર્વ પ્રકારના દાનમાં શય્યાદાન શ્રેષ્ઠ કહ્યું છે તેનું કારણ કહે છે–એવી વસતિને પામીને મુનિ શ્રાવકેને ધર્મ સમજાવે છે, તેની ચિંતવન કરે છે, ભવ્ય જીને ભણાવે છે, શ્રાવકની સભામાં વ્યાખ્યાન આપે છે અને આત્મશક્તિમાં વૃદ્ધિ કરે છે. ધન્ય પુરૂષના ધામમાં રહીને મુનિ નિરંતર આ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. ૧૯૬. એવી વસતિને સ્વામીજ ધન્ય નહીં પણ તેની અનમેદના કરનાર પણ ધન્યવાદને પાત્ર છે. કહ્યું છે કે-“રાજા, દેશ, નગર, ભુવન અને ગૃહપતિને ધન્ય છે કે જ્યાં અનેક પ્રકારના અનુગ્રહને કરનારા એવા મુનિ મહારાજ વિચારે છે. આ પ્રમાણે ઉત્તમ છે અનમેદના કરે છે. ૧૯૭. ' વળી કહે છે કે- જેણે લાખો ગુણયુક્ત એવા મુનિને ઉપાશ્રય રહેવા આવે તેણે વસ, અન્ન, પાન, શયન, આસન સર્વ આપ્યું એમ સમજવું.” ૧૯૮. | મુનિરાજ ઘરે પધાર્યા હોય તે તે અન્નાદિ લઈને પાછા જાય ત્યારે શ્રાવક દ્વાર સુધી પાછળ જાય અને પછી મુનિને ફીટ્ટાવંદન કરીને પાછો વળે. ત્યારપછી શું કરે? તે કહે છે ૧૯. પિતાના સમાન ધર્મવાળા એટલે અરિહંતના શાસનને માનવાવાળા સ્વામીભાઈઓનું વસ્ત્ર અન્ન પાનાદિવડે સન્માન કરવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy