SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૩) છે. તે યૌવનવય પામેલ છતાં તેને વિષયથી વિમુખ જોઈને તેના માતાપિતાએ વિચાર્યું કે-“આ પુત્ર જે વિષયાસક્ત નહીં થાય તે દીક્ષા લઈ લેશે. ત્યારે આપણું શી ગતિ થશે? માટે એને હલકા માણસની સંગતમાં મૂકો. પછી તે પ્રમાણે કરતાં વિટપુરૂષની સબતથી તે વ્યસની થયે. અનુક્રમે વેશ્યાસક્ત થવાથી માતાપિતાને સંભારતે પણ નથી. માતાપિતા તેને મંગાવ્યા પ્રમાણે દ્રવ્ય મેકલાવ્યા કરે છે. એ પ્રમાણે બાર વર્ષ ક્ષણની જેમ વ્યતીત થઈ ગયા. માતાપિતાએ અનેક વખત તેડાવ્યા છતાં ઘરે ન આવ્યો. ધન મોકલતાં એકલતાં તે પણ ખૂટી ગયું. અન્યદા તીવ્ર જ્વરાદિ વ્યાધિથી માતાપિતા અકસ્માત મરણ પામ્યા. એક દિવસ કુદિનીએ દ્રવ્ય લેવા દાસીને મોકલી. તેણે સડી પડી ગયેલા ઘરમાં બેઠેલી એક સ્ત્રીને કૃતપુણ્યની સ્ત્રી અનુમાનથી જાણીને કહ્યું કે– હે કલ્યાણું ! તારા પતિએ મને દ્રવ્ય લેવા મેકલી છે. સ્ત્રી બેલી કે- હું મંદભાગ્યવાળી છું, મારા સાસુસસરા મરણ પામ્યા છે, તો હું દ્રવ્ય કયાંથી મેકલું, પણ મારા પિતાએ આપેલું આ એક આભૂષણ મારી પાસે બાકી રહેલ છે તે લઈ જઈને મારા પતિને પ્રસન્ન કર.” દાસી તે ભૂષણ લઈને કુટ્ટિની પાસે આવી અને તેના ઘરની બધી હકીકત કહીને પેલું ભૂષણ આપ્યું. તેણે વેશ્યાને આપ્યું. પછી અકાએ તેને નિધન થયેલ જાણીને તેનું અપમાન કરવા માંડયું અને તેના કહેવાથી સેવકજને પણ તેની સામે ધૂળ ઉડાવવા વિગેરેથી અપમાન કરવા લાગ્યા. એકદા અનંગસેના વેશ્યાએ આ હકીકત જાણીને પોતાની માતાને કહ્યું કે-“હે માતા ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy