SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રકરણ ૨) રાત્રિભોજન વિશે રાસ કૃતિઓની માહિતી ૧. રાત્રિ ભોજન રાસ - ધર્મસમુદ્ર ગણિ. સોળમી સદીના બીજા તબક્કામાં થયેલા આ ગુરુભગવંતે રાત્રિભોજન રાસ અથવા જયસેન ચોપાઈ રચના કરી છે. પૂ. શ્રી ખરતરગચ્છના જિનપ્રભસૂરિની પાટ પરંપરાએ જિનહર્ષ સૂરિ – જિનચંદ્રસૂરિ - વિવેકસિંહના શિષ્ય હતા. કવિ જિનહર્ષસૂરિએ રાત્રિભોજન રાસની રચના કરી છે. તેની સાથે આ રચના સામ્ય ધરાવે છે. વસ્તુમાં કોઈ નવિનતા નથી પણ અભિવ્યક્તિમાં પૂ.શ્રી કાવ્ય કલાનું દર્શન થાય છે. હસ્તપ્રતને આધરે આ રાસની માહિતી નીચે પ્રમાણે છે. રાત્રિભોજન રાસના આરંભની ૧૭ કડી સઝાય સ્વરૂપે છે. કવિએ સક્ઝાય શબ્દ પ્રયોગ કર્યો છે તે યથાર્થ છે. સઝાયના વિચારો દર્શાવીને કવિએ અમરસેન-ચંદ્રયશાના દષ્ટાંતનો વિસ્તારથી પરિચય કરાવીને રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાયો છે. રાસના આરંભની ઉપરોક્ત માહિતીવાળી કવિની પંક્તિઓ નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવી છે. પણમિનું ગોયમ ગણહરરાય, સમરી સરસતિ સામણિમાય; રયણી ભોજન દોષ વિચાર, બોલિસિ તે સંભલું ઉદાર... ૧ ૪૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy